________________
દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ઢાળ-૮ : ગાથા-૨૧
૨૮૭ સમાધાન : હા, આમાં પ્રશ્ન શું છે ? જે કાર્ય કરી આપતું હોય એને તત્ત્વભૂત અર્થ નહીં કહેશો તો તત્ત્વભૂત અર્થ કહેશો કોને ?
શંકા : એટલે શું આ સાધુવેશાદિ પ્રતિસમય અસંખ્યગુણનિર્જરારૂપ સ્વકાર્ય કરે છે ?
સમાધાન : અરે ભલા ભાઈ ! આ અસંખ્યગુણ નિર્જરા એ જ શું સાધુતાનું એક માત્ર કાર્ય છે ? વંદનાદિ પ્રતિપત્તિ વગેરે શું એના કાર્યરૂપ નથી ? ને એ જો એ કરે છે તો એને તત્ત્વભૂત અર્થ કેમ ન કહેવાય ?
શંકા : પણ એ અસંખ્યગુણ નિર્જરારૂપ સ્વકાર્ય તો નથી કરતો ને ?
સમાધાન : એટલા માત્રથી એને જો તત્ત્વભૂત અર્થ ન કહેવાય, તો તો નિશ્ચયગ્રાહ્ય અર્થને પણ તત્ત્વભૂત નહીં કહી શકાય.... કારણ કે એ પણ વન્દનાદિ પ્રતિપત્તિરૂપ સાધુતાકાર્ય
નથી કરતો..
શંકા : સાચા સાધુ તો નિસ્પૃહ હોય છે. એને વંદનાદિ થયા તો પણ શું ? ને ન થયા તો પણ શું ? કાંઈ ફેર પડતો નથી.
સમાધાન : પદાર્થ સ્વકાર્ય કરે એમાં સ્પૃહા હોય કે ન હોય એને કશું લાગતું વળગતું નથી. અગ્નિને ક્યાં સ્પૃહા હોય છે ? ને છતાં એ અડનારને દઝાડવાનું કાર્ય કરે જ છે ને... સ્પૃહા નથી, માટે શું આ એનું કાર્ય ન કહેવાય ? નહીંતર તો અસંખ્યગુણ નિર્જરાને પણ કાર્યરૂપે નહીં કહી શકાય. કારણ કે ઉપરની ભૂમિકામાં સાધુને એની પણ સ્પૃહા હોતી નથી. કહ્યું જ છે ને કે મોક્ષે ભવે ૨ સર્વત્ર નિસ્પૃહો મુનસત્તામ:
શંકા છતાં, અસંખ્યગુણ નિર્જરા એ મુખ્ય કાર્ય છે, વંદનાદિ પ્રતિપત્તિ એ ગણ છે.
સમાધાન : ના, આમાં આવો કોઈ ગૌણ-મુખ્ય ભાવ છે નહીં. પોતપોતાનું કાર્ય કરવામાં બંનેની મુખ્યતા છે જ. ચામાં સાકર મીઠાશ લાવવાનું કામ કરે છે અને ચાની પત્તી અમુક ચોક્કસ પ્રકારનો સ્વાદ લાવવાનું કામ કરે છે. શું આ બેમાં ગૌણ-મુખ્યભાવ કહી શકાય ? એટલે જ શાસ્ત્રોમાં વવહારો વિ ટુ વનવું કહીને આ વાત અનેક દૃષ્ટાન્તો દ્વારા સુદઢ કરી છે. માટે પોતપોતાના સ્થાનમાં નિશ્ચય અને વ્યવહાર બને તુલ્યબળી છે. હીન-અધિક બળવાળા છે એવું નથી..
શંકા : પણ સાધુવેશ અસંખ્યગુણ નિર્જરા તો કરાવી શકે નહીં જ ને ?
સમાધાન : એમાં આપણે શું કરી શકીએ ? દરેક પદાર્થ સ્વકાર્ય જ કરે છે, પરકાર્ય નહીં.. અગ્નિ દઝાડે જ છે ને પાણી ઠારે જ છે. અગ્નિ પણ ઠારતો હોત તો ? આવા વિકલ્પો કરવાનો શું કોઈ મતલબ છે ?
શંકા : તમારી વાત તો સમજાય છે. પણ છતાં, નિશ્ચય જ બળવાનું છે એવું અમને લાગ્યા કરે છે..
સમાધાન : નિશ્ચયવાદીઓની ખૂબ ખૂબ એવી સૂફિયાણી વાતો સાંભળી હોવાથી એવી એક વાસના દિલમાં જે નિર્માણ થયેલી છે એનો એ પ્રભાવ છે, એમ જાણવું...
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org