SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ ઢાળ-૪ : ગાથા-૧૩ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ એટલે, શ્યામોડસ્તિ ન વા એવા પ્રશ્નના જવાબમાં સ્વાસ્યેવ શ્યામ: જે કહેવાય છે તે ઘડાની કાળાશરૂપ અર્થપર્યાયને પણ જણાવી શકે છે ને ‘શ્યામ’પદવાચ્યતારૂપ વ્યંજનપર્યાયને પણ જણાવી શકે છે... એમ રોડક્તિ 7 વા એવા પ્રશ્નના જવાબમાં સ્વાસ્ત્યિવ રહ: જે કહેવાય છે તે ઘડામાં લાલાશરૂપ અર્થપર્યાયના નિષેધને પણ જણાવી શકે છે ને ‘રક્ત’પદવાચ્યતારૂપ વ્યંજનપર્યાયના નિષેધને પણ જણાવી શકે છે. ૧૬૪ શંકા - શ્યામ-વૃત્ત ઘડા અંગે જ્યારે ઘડો વૃત્ત છે ? રક્ત છે ? આ રીતે પ્રશ્ન પૂછવામાં આવે છે ત્યારે સ્વાસ્યેવ વૃત્ત: (અથવા સ્વાર્ વૃત્ત વ) સ્વાશાસ્યેવ રૉઃ (અથવા સ્માર્ત્ત એવ) આવો જવાબ આપવામાં આવે છે જે અર્થપર્યાયસંલગ્ન સપ્તભંગીના ચોથા ભંગ તરીકે લેવાયેલ છે... તો ઉપર જણાવ્યા મુજબ આ જવાબ ‘વૃત્ત’પદવાચ્યતારૂપ વ્યંજનપર્યાયને પણ જણાવી શકે છે અને ‘રક્ત’પદવાચ્યતારૂપ વ્યંજનપર્યાયના નિષેધને પણ જણાવી શકે છે... તો વ્યંજનપર્યાય અંગે પણ ક્રમશઃ વિધિ-નિષેધવાળો ચોથો ભંગ સંભવિત છે જ ને ? સમાધાન - ના, કારણ કે આ જવાબમાં સ્થાવસ્ક્લેવ વૃત્ત: જવાબનો વ્યંજનપર્યાયના સંદર્ભમાં જે અર્થ છે કે સ્વાવÒવ ‘વૃત્ત‘પવવાચ્યતા... તેનો પ્રથમ ભંગમાં સમાવેશ થઈ જાય છે ને સ્વાન્નાસ્ચેન રહ: જવાબનો વ્યંજનપર્યાયના સંદર્ભમાં જે યાત્રાત્યેવ રપાન્યતા એવો અર્થ છે તેનો દ્વિતીયભંગમાં સમાવેશ થઈ જાય છે... માટે સ્વતંત્ર ચોથા ભંગ જેવું કશું રહેતું જ નથી. શંકા - તો પછી અર્થપર્યાય અંગે પણ એ જવાબનો ક્રમશઃ પ્રથમ અને દ્વિતીયભંગમાં જ સમાવેશ કરી દ્યો ને... ત્યાં પણ સ્વતંત્ર ચોથો ભંગ માનવાની શી જરૂર છે ? સમાધાન જ્યારે વૃત્તઘટનું પ્રયોજન ઊભું થયું હોય ત્યારે ‘ઘડો વૃત્ત છે ?' આટલો પ્રશ્ન ઊઠે છે ને પ્રથમભંગનો સ્વાસ્યેવ જવાબ અપાય છે... જ્યારે રક્તઘટનું પ્રયોજન ઊભું થયું હોય છે ત્યારે ઘડો રક્ત છે ?' પ્રશ્ન ઊભો થાય છે અને સ્વાશાસ્ત્યવ એવા બીજા ભંગનો જવાબ અપાય છે.. પણ જ્યારે વૃત્તઘડાનું પણ પ્રયોજન ઊભું થયું છે ને રક્તઘડાનું પણ પ્રયોજન ઊભું થયું છે... એટલે કે બે પ્રયોજન ઊભા થયા છે... ને અધિકૃત એક જ ઘડાથી આ બન્ને પ્રયોજન સરી જાય એવી અપેક્ષા ઊભી થઈ છે... માટે એ એક જ ઘડા અંગે બન્નેના ભેગા ઉલ્લેખવાળો એક ઘડો વૃત્ત છે ? અને ૨ક્ત છે ?” એવો પ્રશ્ન પૂછાયો છે... માટે એનો જવાબ પણ સ્વાસ્યેવ-સ્યાત્રાત્યેવ આવો વિધિ-નિષેધ બન્નેના ઉલ્લેખવાળો એક જ અપાય છે. એટલે એના ટુકડા કરીને બે અલગ-અલગ જવાબ બનાવી પ્રથમ-દ્વિતીયભંગમાં એનો સમાવેશ કરાતો નથી. - પણ વ્યંજનપર્યાય માટે એવું નથી.. પદ દ્વારા પદાર્થનું અભિવ્યંજન કરવું એ એનું પ્રયોજન છે. એક પદ દ્વારા બે પદાર્થોનું અભિવ્યંજન કરવાનો અહીં પ્રસ્તાવ નથી... બે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004991
Book TitleDravya Guna Paryaya no Ras Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2005
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy