SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ઢાળ-૫ : ગાથા-૨ ૧૭૭ મર્થ?' ઇમ અનેક ભંગ જાણવા. ઇમ જ્ઞાન દૃષ્ટિ જગના ભાવ દેખિઈ પ-૧ | મુખ્યવૃત્તિ દ્રવ્યારથો, તાસ અભેદ વખાણાં રે | ભેદ પરસ્પર એહનો, તે ઉપચારાં જાણઈ રે જ્ઞાન ને પ-૨ . ટબો - કહિયો અર્થ તેહ જ સ્પષ્ટપણાં જણાવઈ છછે. મુખ્યવૃત્તિ કહત શક્તિ શબ્દાર્થ કહતો, જે દ્રવ્યાર્થનય, તે તાસ કહતાં દ્રવ્ય-ગુણ-પર્યાયનો અભેદ વખાણ છે, જે માટd ગુણપર્યાયાભિન્નમૃદ્ધવ્યાદિકનાં વિષયાં ઘટાદિપદની શક્તિ છઇ. એહનો પરસ્પર કહેતાં માંહોમાંહીં ભેદ છઇ, તે ઉપચાર કહિતાં લક્ષણાઈ જાણતું, જે માટો દ્રવ્યભિન્ન કંબુગ્રીવાદિપર્યાયનઈ વિષઈ તે ઘટાદિપદની લક્ષણા માનઈ. મુખ્યાર્થબાધઇ મુખ્યાર્થસંબંધ તથા વિધવ્યવહાર પ્રયોજન અનુસરી, તિહાં લક્ષણાપ્રવૃત્તિ દુર્ઘટ નથી. | પ-૨ છે. એમાં દ્રવ્યાર્થિકનયથી આત્મદ્રવ્યને જોતાં એ સચ્ચિદાનંદમય. શુદ્ધ આત્મસ્વરૂપ દેખાય છે. જીવને એનું આકર્ષણ થાય છે. એના કારણે સંવેગ (= મોક્ષાભિલાષ) વધે છે... અને પર્યાયાર્થિકનયથી આત્મદ્રવ્યને જોતાં પ્રતિ ક્ષણ બદલાતા રહેતાં ભાવો – અનિત્યતા દેખાવાથી વૈરાગ્ય (=ભવનિર્વેદ) વધે છે. માટે જ્ઞાનદૃષ્ટિથી જગને જોવું જોઈએ. આપપા ગાથાર્થ - દ્રવ્યાર્થિકનય મુખ્યવૃત્તિ = શક્તિથી તાસ = દ્રવ્ય - ગુણ - પર્યાયનો પરસ્પર અભેદ છે એમ વખાણે છે... અને ઉપચારથી = લક્ષણાથી તેઓનો પરસ્પર ભેદ હોવો જાણે છે. // પ-૨ | વિવેચન - કહિયો અર્થ... પહેલી ગાથામાં જે અર્થ કહ્યો હતો એને જ હવે સ્પષ્ટપણે ગ્રંથકાર જણાવે છે... દ્રવ્યાર્થિકનય જ્યારે શક્તિથી શબ્દાર્થ લેતો હોય છે ત્યારે એ દ્રવ્ય-ગુણ-પર્યાયનો પરસ્પર અભેદ હોવો કહે છે, કારણ એ “ઘટ' પદની શક્તિ ગુણપર્યાયાભિન્ન મૃદ્રવ્ય વગેરેમાં માને છે. એટલે મૃદ્દવ્ય અને તેનો ગુણ-પર્યાય સાથેનો અભેદ. આ બન્ને વાતો એને “ઘટ’ શબ્દના શ્રવણથી-શક્તિસંબંધ દ્વારા જણાઈ જાય છે.. વળી દ્રવ્ય-ગુણ-પર્યાયનો પરસ્પર ભેદ જે છે તે ઉપચારથી = લક્ષણાથી જાણે છે. કારણ કે એ દ્રવ્યભિન્ન કંબુગ્રીવાદિપર્યાયમાં “ઘટ' પદની લક્ષણા માને છે. શંકા - ગાયાં મત્સ્યઃ (ગંગાનદીમાં માછલો છે) આવા વાક્યપ્રયોગમાં શક્તિથી ગંગાનદી એવો અર્થ જો લેવામાં આવે છે તો પછી એની લક્ષણા કાંઈ કરવામાં આવતી નથી. એમ, ‘ઘટ' પદનો શક્તિથી અર્થ લઇ લીધો તો પછી લક્ષણા શા માટે કરવાની? સમાધાન - ફિયાં પોષ: માં શા માટે લક્ષણા કરો છો? શંકા - ત્યાં તો “ગંગાપ્રવાહ એવો મુખાર્થ = શક્યાર્થ બાધિત છે, માટે લક્ષણા કરવામાં આવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004991
Book TitleDravya Guna Paryaya no Ras Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2005
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy