SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ઢાળ-૪ : ગાથા-૧૩ ૧૪. નવાગ્ય મેવ એનો અર્થ પટોડવીચવા એવ એવો સૂચિત થતો નથી, પણ પટ: (સર્વ)વાખ્યત્વમાવવાન એવ એવો સૂચિત થાય છે... શંકા - તો “અનંતાનંત પદાર્થો અનભિલાખ છે આમાં પણ આવો જ અર્થ સૂચિત થવો કહો ને ? અર્થાત્ અમિતાણવીત્વ નહીં, પણ સર્વ વાવ્યત્વભાવ જ કહો ને! સમાધાન - આ સર્વપદવાણ્યત્વાભાવ ક્યાં રહેશે ? શંકા - કેમ ? એ અનભિલાપ્યપદાર્થોમાં... સમાધાન - એટલે અર્થ આવો મળશે કે સર્વપવધ્યત્વાકાવવાન મનમતાથઃ પાર્થ...આમાં, પટામીવવત્ ભૂતલમ્ માં જેમ ભૂતન નું જ્ઞાન જરૂરી છે...તો જ એના ધર્મ તરીકે પટાપાવ ભાસી શકે છે. એમ પ્રસ્તુતમાં અનભિલાપ્ય પદાર્થરૂપ ધર્માનું જ્ઞાન પણ જોઈશે જ, તો જ એના ધર્મ તરીકે સર્વપદવાણ્યત્વાભાવ ભાસી શકે. તો આ જ્ઞાન શી રીતે કરશો? શંકા - તો તમે ઘડાનું જ્ઞાન શી રીતે કરશો ? સમાધાન - ભલા આદમી!... એ તો ચાક્ષુષપ્રત્યક્ષસિદ્ધ છે. એટલે પ્રત્યક્ષથી ઉપસ્થિત છે. પછી એમાં વાચ્યત્વાભાવ જણાઈ શકે છે. અનભિલાપ્ય પદાર્થો તો શાસ્ત્રગત અનભિલાખ શબ્દથી જ જાણી શકાય એવા છે, એ સિવાય આપણા માટે એ જાણવાનો કોઈ ઉપાય જ નથી.... એટલે, “અનભિલાપ્ય એવા શબ્દથી પણ એ ઉપસ્થિત થતા નથી.... પણ સર્વપદાભિલાપ્યત્વાભાવ જ એનાથી ઉપસ્થિત થાય છે. એવું જો માનશો તો એ પદાર્થો કશાથી ઉપસ્થિત જ નહીં થઈ શકે.. ને એ જો ઉપસ્થિત નહીં થાય તો એમાં સર્વપદાભિલાપ્યત્વાભાવ પણ જાણી નહીં જ શકાય. એટલે નક્કી થાય છે કે “અનભિલાપ્યપદ અનભિલાપ્યપદવાચ્યત્વને સૂચવે છે અને “અવાચ્ય'પદ સર્વપદવાચ્યવાભાવને સૂચવે છે, માટે એ બન્ને પદ સમાનાર્થક નથી. શંકા - ત્રીજા ભંગમાં ઉત્તર દિવષ્ય મેવ છે. આમાં યાતકાર પડેલો છે. એટલે કથંચિત્ અવાચ્યત્વ જ માનવાનું છે. સર્વથા અવાચ્યત્વ નહીં. એટલે અવાચ્યપદવાચ્યત્વ તો માનવું જ જોઈએ. નહીંતર મ્યાત્કારની સંગતિ કઈ રીતે કરશો ? સમાધાન - સ્વરૂપ-પરરૂપની ક્રમિક અપેક્ષા હોય ત્યારે અસ્તિ-નાસ્તિ પદનું વાચ્યત્વ તેમાં છે જ. સ્યાત્કાર કથંચિત્ વાચ્યત્વ તરીકે આ વાચ્યત્વને ખેંચી લાવે છે. એટલે સ્વાત્કારની સંગતિ માટે અવાચ્યપદવાધ્યત્વ માનવું જરૂરી નથી... શંકા - આ તો અપેક્ષા બદલીને કથંચિદ્વાચ્યત્વ આવ્યું... યુગ૫દ્ અપેક્ષાને ઊભી રાખીને તો ન આવ્યું ને ? સમાધાન - સ્યાત્કાર વિરુદ્ધધર્મને કથંચિત્ જે ખેંચી લાવે છે તે અપેક્ષા બદલીને જ, અપેક્ષા બદલ્યા વગર કાંઈ નહીં. જેમ કે પ્રથમ ભંગમાં સ્વરૂપની (મૃન્મયત્વની) અપેક્ષાએ ચેવ જે કહેવાય છે તેમાં રહેલો સ્યાત્કાર કથંચિ નાસ્તિત્વને જે ખેંચી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004991
Book TitleDravya Guna Paryaya no Ras Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2005
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy