________________
૧૦૮
ઢાળ-૪ : ગાથા-૩
દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ
અનુભવતા નથી. વ્યવહારઇ - પરાપેક્ષા બેહુનઇ, ‘ગુણાદિકનો ભેદ, ગુણાદિકનો અભેદ' એ
વચનથી. ।। ૪-૨ ॥
એક ઠામિ વિ જનની સાર્ખિ, પ્રત્યક્ષઇ જે લહીઇ રે ।
રૂપ રસાદિકની પરિ તેહનો, કહો વિરોધ કિમ કહિઇ રે ।।૪-૩ ।।
=
શંકા - અભેદ સ્વાભાવિક હોવાથી સાચો છે... ભેદ ઔપાધિક હોવાથી જુઠો છે... આશય એ છે કે અભેદ એટલે તાદાત્મ્ય... એ તો પોતાનું જ પોતાની સાથે હોવાથી એમાં બીજા કોઈની અપેક્ષા નથી... માટે એ ઔપાધિક પરાપેક્ષ નથી... અને તેથી સ્વાભાવિક છે. (જેમકે અંગુલિમાં અંગુલિત્વ હોવા માટે બીજા કોઈની અપેક્ષા નથી... એ સ્વાભાવિક હોય છે.) પણ ભેદ માટે તો ‘કોનો ભેદ ?” એ પ્રશ્ન ઊભો થાય જ... એને પ્રતિયોગીની અપેક્ષા હોય જ... એટલે એ પરાપેક્ષ હોવાથી સ્વાભાવિક નથી, પણ ઔપાધિક છે. (જેમકે અનામિકા અંગુલિમાં હ્રસ્વત્વ... એને મધ્યમાની અપેક્ષા છે... મધ્યમાની અપેક્ષાએ જ ધ્રૂસ્વત્વ છે... જો મધ્યમાનું અનુસંધાન ન હોય, માત્ર અનામિકા જ નજરમાં હોય તો હૃસ્વત્વ કહી શકાતું નથી... માટે એ પરાપેક્ષ હોવાથી ઔપાધિક છે. વળી આ તો ઔપાધિક છે. એટલે, ઉપાધિ બદલાય તો હ્રસ્વત્વ ઊડી પણ જાય... જેમકે કનિષ્ઠાનું અનુસંધાન કરવામાં આવે તો અનામિકામાં હ્રસ્વત્વ નહીં, પણ દીર્ઘત્વ આવી જાય છે. એટલે જ જણાય છે કે જે ઔપાધિક હોય છે તે વાસ્તવિક નથી હોતું... જૂઠું - ગલત હોય છે.) એટલે પ્રસ્તુતમાં ભેદ ઔપાધિક હોવાથી જૂઠો છે... અભેદ સ્વાભાવિક હોવાથી સાચો છે - સબળ છે... માટે ‘ભેદ અને અભેદ બન્ને તુલ્યપ્રાધાન્યવાળા છે' આ વાત બરાબર નથી... પણ ભેદ નિર્બળ છે-ગૌણ છે... અને અભેદ જ બળવાન્ છે, મુખ્ય છે.
=
સમાધાન - તે અનુભવતા નથી... જેઓ આવું અભેદ-ભેદનું સાચા-જૂઠાપણું કહે છે તેઓ અનુભવતા નથી અભેદ-ભેદના પરમાર્થને અનુભવતા નથી, માટે આમ કહે છે... એ પરમાર્થ આ છે કે વ્યવહાર કરવા માટે અભેદ અને ભેદ એ બન્નેને પરાપેક્ષા છે જ. અભેદને પરાપેક્ષા નથી અને ભેદને છે... એવું નથી. એટલે કે અભેદ માટે પણ કોનો અભેદ એવી અપેક્ષા છે જ. આશય એ છે કે ષટપયોર્ભેદ્દઃ આવો વ્યવહાર ક્યારેય કોઈ કરતું નથી... નીયિયોમેવઃ એવો વ્યવહાર કરે છે... તૈતતૈયોમેવઃ આવો વ્યવહાર કોઈ ક્યારેય કરતું નથી... તૈલધાયોરમેનઃ આવો વ્યવહાર કરે છે... એટલે અભેદ વ્યવહાર માટે પણ નીલ... ધારા વગેરેની અપેક્ષા છે જ. અર્થાત્ નીલનો ભેદ... નીલનો અભેદ... ધારાનો ભેદ... ધારાનો અભેદ... આમ બન્નેને પરાપેક્ષા છે જ... એટલે જ આવું શાસ્ત્રવચન છે જ કે (દ્રવ્યમાં) ગુણાદિકનો ભેદ... ગુણાદિકનો અભેદ...’ માટે આ વચનથી બંનેને પરાપેક્ષા જણાતી હોવાથી બન્ને તુલ્યબળી છે એ સ્પષ્ટ છે. ।। ૪૨ ।।
ગાથાર્થ - સર્વ જનની સાક્ષીએ એક જ સ્થાનમાં જે પ્રત્યક્ષથી જોવા મળે છે તે ભેદ અભેદનો, રૂપરસાદિકની જેમ વિરોધ કેમ કહેવાય ? એ, હે પરવાદીઓ ! (અથવા હે શિષ્યો!) તમે કહો. (અર્થાત્ ન જ કહેવાય...) ।। ૪-૩ ।।
વિવેચન - એક ઠામિ... એક સ્થાનમાંઘટાદિ દ્રવ્યને વિષે સર્વલોકની સાક્ષીએ પ્રત્યક્ષપ્રમાણથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org