________________
દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ
ઢાળ-૪ : ગાથા-૯
૧૨૯
અધિકૃત “વૃત્ત” ઘડાથી સરી શકતું નથી. માટે આ ચતુષ્કોણાકાર એ અધિકૃતઘડાનો પરપર્યાય. કહેવાય છે... “પરરૂપ કહેવાય છે. એમ વાપીયા ઘડાનું પણ કંઈક વિશેષ પ્રયોજન હોય છે... એ વિશેષ પ્રયોજનને ઘડાનું વાપીયાપણું સારે છે. માટે વાપીયાપણું એ “અર્થપર્યાય' તો છે જ. પણ અધિકૃતઘડાથી એ પ્રયોજન સરી શકતું નથી... માટે “વાપીયાપણું' એ અધિકૃતઘડાનું પરરૂપ છે. આ રીતે જે જે પ્રયોજન વિશ્વમાં સંભવિત છે, અન્ય ચીજોથી સરી શકે છે... પણ અધિકૃત ઘડાથી સરી શકતા નથી. તે તે પ્રયોજનને સારનાર તે તે ચીજના તે તે “સ્વરૂપ એ અધિકૃતઘડા માટે “પર”રૂપ છે-“પર”પર્યાય છે.
એક આદમીને વાપીયાઘડાનાં જે પ્રયોજન છે (અમદાવાદી ઘડા કરતાં કંઈક વજન વધારે હોવા છતાં - અન્ય ઘડાની અપેક્ષાએ ઓછું વજન.... ને તેથી વહન કરવામાં સરળતા. ને અમદાવાદી ઘડા કરતાં ટકાઉપણું વધારે.. વગેરે) એવા પ્રયોજનની અપેક્ષા છે.... એ ઘડાની શોધમાં નીકળ્યો છે. એને અધિકૃત અમદાવાદી ઘડો દેખાયો.” પણ એનાથી એને કોઈ હરખ થવાનો નથી કે એની શોધ અટકી જવાની નથી... આનો અર્થ એ જ થાય કે અધિકૃતઘડો એના માટે ન હોવા તુલ્ય જ છે. માટે એની અપેક્ષાએ અધિકૃતઘડો નાચેવ... રૂપ બની રહે છે. આ રીતે જે જે પ્રયોજનને અધિકૃતઘડો સારી શકતો નથી તે તે દરેક પ્રયોજનની અપેક્ષાના સંદર્ભમાં અધિકૃત ઘડો ન હોવા બરાબર જ છે. માટે નાત્યે જ કહેવાય છે.
વિશ્વમાં એવો કોઈ પદાર્થ છે નહીં, જે વિશ્વમાં સંભવિત સર્વ અર્થપ્રયોજનોને સારી શકતો હોય. પણ ધારોકે આવો કોઈ પદાર્થ અસ્તિત્વ ધરાવતો હોય... તો એના માટે ક્લેિવ કહેવાનું ન રહેત.. પણ સર્વથાયૅવ એમ જ કહેવાનું રહેત.... કારણ કે કોઈપણ પ્રયોજનના અર્થીનું કામ એનાથી સરી જ જવાનું છે. કોઈ પ્રયોજન એવું બચ્યું જ નથી કે જેની અપેક્ષાએ એ પદાર્થ માટે ચાનીયેવ કહેવાનું ઊભું રહે.. બીજી રીતે કહીએ તો તે તે સર્વપ્રયોજનોને અનુકૂળ તે તે સર્વધર્મો એ પદાર્થમાં રહ્યા જ છે. (નહીંતર તો = અર્થાત્ અમુક ધર્મ પણ જો ન રહ્યા હોય તો, એ ધર્મસાધ્ય પ્રયોજન એનાથી સરી શકે એવું સંભવે જ નહીં.) આ સિવાય તો કોઈ ધર્મ વિશ્વમાં ક્યાંય છે જ નહીં, કારણ કે જેનું કોઈ પ્રયોજન જ ન હોય એવો કોઈ ધર્મ વિશ્વમાં હોવો સંભવિત નથી. આપણે છદ્મસ્થો પણ આ નિર્ણય કરી શકીએ છીએ, કારણ કે આવો ધર્મ માનવામાં કોઈ પ્રમાણ જ નથી... દુનિયાની કોઈ ઘટના એવી છે જ નહીં કે જે, આવા ધર્મને ન માનવામાં અસંગત ઠરી જતી હોય ને તેથી પછી એને સંગત ઠેરવવા માટે એ ધર્મને માનવો આવશ્યક બની જતો હોય. એટલે નિમ્પ્રયોજન કોઈ ધર્મ છે નહીં. ને સપ્રયોજન જે કોઈ ધર્મો છે એ બધા તો એ ધારેલા સર્વાર્થસાધક પદાર્થમાં માનવા જ પડે છે... એટલે સર્વપ્રયોજનોનો સંપાદક હોય એવો જો કોઈ પદાર્થ હોય તો સર્વધર્મો એના માટે “સ્વરૂપ જ બની જશે... પરરૂપ બની શકે એવો કોઈ ધર્મ છે જ નહીં. “પર”રૂપ નથી, માટે નાસ્તિત્વ કહેવાનો અવસર જ નથી. અને કોઈ જ પ્રકારનું નાસ્તિત્વ છે નહીં, એટલે અસ્તિત્વ જે કહેવાનું છે અને સ્થાન્તિ લગાડવાની જરૂર રહે નહીં, કારણ કે કથંચિહ્નાસ્તિત્વ હોય તો જ એનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org