SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૪ ઢાળ-૨ : ગાથા-૧૩ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ જો ગુણ દલ પર્યવનું હોવાં, તો દ્રવ્યઈ ચૂં કીજઈ રે ! ગુણ-પરિણામ પટંતર કેવલ, ગુણ-પર્યાય કહી જઈ રે ! જિન. ર-૧૩ ટબો- પર્યાયરલ, માટેિ ગુણનઈ શક્તિપ કહઈ છો, તેહનઈ દૂષણ દિઈ જઈને જો ગુણ, પર્યાયનું દલ કહિતા-ઉપાદાન કારણ હોઈ, તો દ્રવ્યો ચૂં કીજઇ ? દ્રવ્યનું કામ ગુણઈ જ કીધઉં, તિ વારd, ગુણ ૧, પર્યાય ૨, જ પદાર્થ કહો, પણિ ત્રીજો ન હોઈ. કોઈ કહસ્ય“દ્રવ્યપર્યાય ગુણપર્યાય રૂપ કારય ભિન્ન છઈ, તે માર્ટિ દ્રવ્ય ૧, ગુણ - શાસ્ત્રમાં એકગુણકાળો, દસગુણકાળો... અનંતગુણકાળો... વગેરે ઉલ્લેખ દ્વારા રૂપાદિ વિશે ગુણ શબ્દ કહેવાય જ છે ને ? તેથી રૂપાદિપરિણામ એ ગુણવિશેષ જ છે. અને તેથી ભગવાને ગુણાર્થિકનય પણ ઉપદેશ્યો જ છે, એ સાબિત થાય છે. સિદ્ધાન્તવાદી હવે એનો જવાબ આપે છે ગુણસન્મત્તેરે.. એકગુણકાળો વગેરે શબ્દ, રૂપાદિને જણાવનાર “ગુણ’ શબ્દ વિના પણ “અમુક માત્રાની કાળાશ વગેરે રૂપ વિશેષ પ્રકારની સંખ્યાના વાચક તરીકે સિદ્ધ થાય છે. પણ અતિરિક્ત ગુણાર્થિકનયનું પ્રતિપાદન કરવાના તાત્પર્યવાળો નથી. કારણ કે એ “ગુણ' શબ્દ પ્રસ્તુત ભાવ કેટલો ન્યૂ યા અધિક છે એને જણાવે છે. જેમ દશ દ્રવ્યો હોય અથવા એક દ્રવ્યને દશ ગુણ કર્યું હોય તો બંનેમાં દશત્વ સમાન છે. એટલે કે દશગુણએક...એમ “ગુણ' શબ્દનો પ્રયોગ કર્યો હોય એને ગુણ' શબ્દનો પ્રયોગ વિના દશ” એટલા શબ્દથી જેમ જણાવી શકાય છે (અને પછી એ ગુણ શબ્દ વધારાનો બની જાય છે) એમ પ્રસ્તુતમાં પણ “દસગુણકાળો'ના સ્થાને “દસમાત્રાની કાળાશવાળો” એમ ગુણ શબ્દ વિના પણ અભિપ્રેત અર્થ જણાવી શકાય છે. આમ ગુણ એ પર્યાયથી પરમાર્થદષ્ટિએ ભિન્ન નથી. તેથી પર્યાયની જેમ એ પણ શક્તિરૂપ નથી. / ૨૧ ગાથાર્થ : જો ગુણ એ પર્યાયનું દલ (=ઉપાદાનકારણ) હોય તો પછી દ્રવ્ય શું કરવાનું રહે ? તેથી ગુણનો પરિણામ એ ગુણપર્યાય... એ વાત માત્ર પટંતર = ભેદની કલ્પનારૂપ જ છે. વાસ્તવિક નથી. || ૨-૧૩ ૫. વિવેચન - “ગુણો’ એ પર્યાયનું ઉપાદાન કારણ છે. અર્થાત્ વર્ણગુણ કૃષ્ણ-નીલાદિ પર્યાયોનું ઉપાદાનકારણ છે. રસગુણ મધુર-અમ્લાદિ પર્યાયોનું ઉપાદાનકારણ છે.. ઉપયોગગુણ મતિજ્ઞાનાદિનું ઉપાદાનકારણ છે... આમ ગુણો એ પર્યાયનું ઉપાદાન કારણ હોવાથી ગુણને પણ શક્તિરૂપ માનવા જોઇએ એવું જે દિગંબરો કહે છે તેને ગ્રન્થકાર દૂષણ દેખાડે છે – જો કૃષ્ણ-નીલાદિ પર્યાયોને વર્ણાદિ ગુણ જ ઉત્પન્ન કરી દેતા હોય તો પછી દ્રવ્ય કશું કરવાનું રહ્યું જ નહીં.... આવા બધા જુદા જુદા પર્યાયો ઉત્પન્ન કરવાનું કામ દ્રવ્યનું હતું. એ તો ગુણે કરી દીધું... તો હવે દ્રવ્ય કશું કરવાનું રહ્યું જ નહીં ને ! અને તો પછી દ્રવ્યને માનવાની જરૂર જ ન રહેવાથી ગુણ અને પર્યાય એ બે પદાર્થો જ માનવાના રહે. ત્રીજો દ્રવ્ય પદાર્થ નહીં. કોઈ કહસ્યાં... શંકા - પર્યાય એ કાર્યરૂપ છે. કારણ કે ઉત્પન્ન થાય છે. આ પર્યાયો બે પ્રકારના છે...પિંડ-સ્થાસ વગેરે રૂપ અને નર-નારકાદિક વગેરે રૂપ દ્રવ્યપર્યાય અને કૃષ્ણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004991
Book TitleDravya Guna Paryaya no Ras Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2005
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy