________________
૧૯૫
દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ઢાળ-૫ : ગાથા-૧૨ ત્રીજો શુદ્ધ દ્રવ્યારથો, ભેદ કલ્પનાહીનો રે | જિમ નિજગુણ પર્યાયથી, કહિએ દ્રવ્ય અભિન્નો રે / જ્ઞાન પ-૧૨ |
, આજે કર્મઉપાધિસહિત એવા આપણા જેવા સંસારી જીવો પુરુષાર્થ દ્વારા કર્મઉપાધિરહિત એવી સિદ્ધાવસ્થા પામી શકે છે... એ પુરુષાર્થ માટે દ્રવ્યાનુયોગ સહાયક બને છે... ને દ્રવ્યાનુયોગમાં આવી કર્મઉપાધિરહિતશુદ્ધદ્રવ્યાર્થિકનયની દૃષ્ટિ ઉપકારક બને છે. આપણે આપણા આત્માને આ દૃષ્ટિથી જોઈએ. જોતા રહીએ... તો મોહ વિલીન થતો જાય છે ને સંવેગ વધતો જાય છે..
પણ યુગલ માટે આવું કશું છે નહીં.. પુરુષાર્થ એ એનો ગુણ નથી. માટે પુરુષાર્થથી નિરુપાધિક અવસ્થા મેળવવાની છે, એવી વાત જ નથી. પછી ઉપાયની જરુર જ ક્યાં છે ? ને વળી બોધ પણ એને ક્યાં સંભવિત હોય છે ? કે જેથી નયદષ્ટિ ઉપકારક બને.
. જીવ કર્મઉપાધિરહિત બને એ જ ક્ષણથી સોપાકિઅવસ્થાને સંપૂર્ણ રીતે છોડીને નિરપાકિઅવસ્થા પામી જાય છે.. પુદ્ગલ માટે આવું નથી... જીવ ચ્યવી ગયા પછી પણ કેટલાયકાળ સુધી રજકણપણું.... જળપણું... વગેરે જળવાઈ રહે છે.
1 જીવ નિરુપાધિક બન્યા પછી ક્યારેય સોપાધિક બનતો નથી. તે માટે જ એની નિરુપાધિક અવસ્થાનું મહત્ત્વ છે, એ ઉપાદેય છે.... પુદ્ગલ માટે આવું નથી. એ તો પુનઃ પુનઃ સચિત્ત-અચિત્ત બની શકે છે.
. નિરુપાધિક અવસ્થા (સિદ્ધાવસ્થા) બધા જીવોની એકસરખી છે. માટે સોપાધિક અવસ્થામાં પણ એનું દર્શન શક્ય-સરળ બને છે. જીવમુક્ત પુદ્ગલોની તો અનંત પ્રકારની ભિન્ન ભિન્ન અવસ્થાઓ હોય છે. નિરુપાધિકપણે એને જોવા માટે આમાંની કઈ અવસ્થા જોવી?
આ અને આવાં અન્ય કારણોએ પુગલમાં નિરુપાધિક અવસ્થાના વિચાર વ્યવહાર થતા નથી. એની આવશ્યકતા મનાતી નથી. ને તેથી એવા કોઈ દૃષ્ટિકોણ ન હોવાથી નયષ્ટિ હોતી નથી. અલબત્ સોપાધિક અવસ્થા તો ડગલે ને પગલે આપણા વ્યવહારમાં આવે જ છે. છતાં એનો નયભેદ દેવસેને જે દર્શાવ્યો નથી તેને એની ન્યૂનતારૂપે ગ્રંથકાર આગળ આઠમી ઢાળમાં કહેવાના જ છે.
એટલે, અંતિમ નિષ્કર્ષ આ આવ્યો કે પ્રથમ પ્રકાર માત્ર જીવદ્રવ્ય અંગે છે ને એમાં “શુદ્ધ' એ દ્રવ્યનું વિશેષણ છે. બીજો પ્રકાર સર્વ દ્રવ્યો માટે છે. ને એમાં “શુદ્ધ' એ દ્રવ્યાર્થિકનયનું વિશેષણ છે. / ૬૫ |
ગાથાર્થ - ભેદકલ્પનારહિત શુદ્ધ દ્રવ્યાર્થિકનય એ ત્રીજો ભેદ જાણવો. જેમ કે પોતાના ગુણ-પર્યાયથી દ્રવ્યને અભિન્ન જાણવું કહેવું. | પ-૧૨ //
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org