SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ ८८ ઢાળ-૩ : ગાથા-૫ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ગુરુતા ન થઇ જોઇઇ, જે માટઇ દ્વિપ્રદેશાદિક બંધ એકપ્રદેશાદિકની અપેક્ષાઇ અવયવી છઇ. અનઇ પરમાણુમાંહિં જ ઉત્કૃષ્ટ ગુરુત્વ માનિંઇ તો રૂપાદિક વિશેષ પણિ પરમાણુમાં િમાન્યા જોઇઇ, દ્વિપ્રદેશાદિકમાંહિ ન માન્યાં જોઇઇ. અભેદનયનો બંધ માનઇ-તો પ્રદેશનો ભાર તેહ જ ખંધભારપણઇ પરિણમઇ, જિમ-તંતુરૂપ પટરૂપપણઇ, તિવારઇ ગુરુતાવૃદ્ધિનો દોષ કહિઓ, તે ન લાગઇ. ।। ૩-૪ || ભિન્ન દ્રવ્યપર્યાયનઇ જી, ભવનાદિક નઇ રે એક । ભાષઇ, કિમ દાખઇ નહીજી, એક દ્રવ્યમાં વિવેક રે ।। ભવિકાo ।।૩-૫ ॥ પણ માની લ્યો ને ! આશય એ છે કે અવયવીને તોલવાથી જણાતું વજન જો અવયવોનું જ છે. અવયવીનું નથી... તો એ રીતે તો અવયવીને જોવાથી જોવા મળતું રૂપ પણ અવયવોનું જ માનવું જોઈએ... એમ અવયવીને ચાખવાથી માણવા મળતો સ્વાદ પણ અવયવોનો જ માનવો જોઈએ... અને ચણુક સુધીના તો બધા અવયવી જ છે... એટલે જે કાંઈ સારા-સારા વિશેષ પ્રકારના રૂપ-૨સ વગેરે લોક અનુભવમાં આવે છે એ બધાને પરમાણુના જ માનવા જોઈએ, એ સિવાય કશાના નહીં... પણ આવું મનાતું નથી... કારણ એ અનુભવ વિરુદ્ધ છે... યુક્તિ વિરુદ્ધ છે... એટલે જેમ ઉત્કૃષ્ટ રૂપ વગેરે પરમાણુના નહીં પણ સ્કંધના જ હોય છે એમ ઉત્કૃષ્ટ ગુરુતા પણ પરમાણુમાં નહીં, પણ સ્કંધમાં જ માનવી જોઈએ. ને તેથી બમણાવજનની આપત્તિ ઊભી જ રહેશે... પણ જો અભેદનયનો સંબંધ માનવામાં આવે તો અવયવોનો ભાર જ અવયવીના ભારરૂપે પરિણમતો હોવાથી બમણાવજનનો જે દોષ કહ્યો છે તે લાગતો નથી. આશય એ છે કે જેમ તંતુનું રૂપ જ પટના રૂપ રૂપે પરિણમે છે તેમ તંતુનું વજન જ પટના વજન તરીકે પરિણમે છે. એમ માનવામાં કોઈ દોષ રહેતો નથી. પણ એવું તો જ માની શકાય છે જો તંતુ અને પટ વચ્ચે અભેદ સંબંધ મનાયો હોય. ।। ૨૯ ।। ગાથાર્થ - જુદા જુદા દ્રવ્યોના પર્યાયરૂપે બનેલા ભવન વગેરેને તું એક કહે છે, તો એક જ દ્રવ્યના પર્યાયમાં આવો વિવેક કેમ દાખવતો નથી ? ॥ ૩-૫ || વિવેચન - દ્રવ્ય-ગુણ-પર્યાયનો જે અભેદ માનતો નથી એને ઉપાલંભ આપે છે કે પાષાણ, કાષ્ઠ, પૃથ્વી-જળ વગેરે ભિન્ન દ્રવ્યો મળીને ઘર વગેરે જે પર્યાય નિર્માણ પામ્યા છે તેને ‘આ એક ઘર છે' આવા લોકવ્યવહારને અનુસરીને તું પણ ‘એક’ તરીકે સ્વીકારે છે. તો એક દ્રવ્યમાં દ્રવ્ય-ગુણ-પર્યાયનો અભેદ હોય છે એવો વિવેક તું કેમ નથી દાખવતો? કારણ કે આત્મદ્રવ્ય...એ જ આત્મગુણ... એ જ આત્મપર્યાય... આવો વ્યવહાર અનાદિ સિદ્ધ છે. અલબત્ નૈયાયિકના મતે પાર્થિવ અવયવો અને જલીય અવયવો (પરમાણુ વગેરે) સાથે મળીને કોઈ અવયવી બની શકતો નથી... નહીંતર તો એ એક અવયવીના સમવાયિકારણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004991
Book TitleDravya Guna Paryaya no Ras Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2005
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy