SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨ ઢાળ-૩ : ગાથા-૧૪ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ છો, ઈમ જો તુજને ચિત્તમાંહિ સુહાઈ, તો સર્વ-અતીત અનામત વર્તમાન કાલઈ નિર્ભયપણ અષ્ટશંકારહિતપણાં શશશ્ચંગ પણિ જણાણું જોઈએ. મે ૩-૧૩ ૫ તે માટછે અછતા તણોજી, બોધ ન, જનમ ન હોઈ | કારય કારણનઈ સહીજી, છઈ અભેદ ઈમ જોઈ રે ! ભવિકા ૩-૧૪ ટબો- “ઈમ નથી' તે માટઈ અછતા અર્થનો બોધ ન હોઈ, જન્મ પણિ ન હોઈ, ઈમ નિર્ધાર, કાર્ય-કારણનો અભેદ છઇ, તે દૃષ્ટાન્નઈ દ્રવ્ય, ગુણ, પર્યાયનો પણિ અભેદ છઇ, ઇમ સદહવું. ૫ ૩-૧૪ હોય.. એટલે ઘટવનું જ્ઞાન થયું છે એ નક્કી છે. અલબત્ નૈયાયિકના હિસાબે ઘટત્વ એ જાતિ હોવાથી નિત્ય હોવાના કારણે ઘટનાશે પણ નાશ પામ્યું નથી. છતાં, ઘટત્વનું જ્ઞાન તે તે ઘટવ્યક્તિને આગળ કરીને જ થાય છે, એ વિના નહીં. નહીંતર તો આકાશમાં નજર નાખતાં જ ઘટત્વ, પટવ, કટવ, ગોત્વ વગેરે બધા સામાન્યનું જ્ઞાન (વટાદિ વ્યક્તિ વિના જ) થઈ જવું જોઈએ, પણ થતું નથી. એટલે જણાય છે કે ઘટ સર્વથા અસતું હોય ત્યારે એનો ધર્મ ઘટત્વ જણાઈ શકે નહીં. અને છતાં એ જો જણાઈ શકે છે તો આકાશપુષ્પનો ધર્મ એવું શશશૃંગ પણ હંમેશાં ભાસવું જોઈએ. અથવા, ધર્મી = અતીતઘટ અછત = એ સર્વથા અસત્ હોય ત્યારે પણ જો એનો શેયાકારધર્મ = વિષયતારૂપ ધર્મ અછતકાળે = સર્વથા અભાવના કાળમાં છ = અસ્તિત્વ ધરાવે છે, એમ જો તારા મનમાં બેસે છે તો શશશૃંગનું પણ ત્રણે કાળમાં અસ્તિત્વ હોવું જોઈએ (અને તેથી એ નિઃશંકપણે જણાવું જોઈએ.) આશય એ છે કે અતીતો પટોડધુના જ્ઞતિઃ વગેરે રૂપે જે જ્ઞાન થાય છે એની વિષયતા એ અતીત ઘટમાં છે જ એ સ્પષ્ટ છે. હવે જો એ ઘટ વર્તમાનમાં સર્વથા અસત્ હોય તો એનો વિષયતા ધર્મ પણ સર્વથા અસત્ જ હોય અને છતાં એ છે' અર્થાત્ એનું અસ્તિત્વ છે એવું જો તમને સૂઝે છે તો તમારે ત્રણેકાળમાં અસત્ એવા પણ શશશૃંગનું ત્રણે કાળમાં અસ્તિત્વ માનવું જ પડે. ને તેથી એ નિઃશંકપણે જણાવું જ જોઈએ. / ૩૮ | ગાથાર્થ - તે માટે સર્વથા અસત્નો ન બોધ થાય... ન જન્મ થાય.... એ જોઈને = વિચારીને કાર્ય-કરણને અભેદ છે, એમ શ્રદ્ધા કરવી. | ૩-૧૪ || વિવેચન - ઇમ નથી = એ પ્રમાણે છે નહીં = સર્વથા અસત્ પદાર્થ એવા શશશૃંગનું નથી જ્ઞાન થતું કે નથી અસ્તિત્વ હોતું. માટે ઘટાદિ પદાર્થો પણ જો કારણકાળ વગેરેમાં સર્વથા અસત્ હોય તો ન એનો બોધ થાય કે ન એનું અસ્તિત્વ થાય = ન એની ઉત્પત્તિ થાય. પણ ઘટનો બોધ ને જન્મ બંને થાય તો છે જ. માટે એને મૃપિંડાદિકાળે પણ કથંચિત્ સત્ માનવો જ પડે... ને એ મૃતિંડરૂપે જ સત્ માનવો પડે છે... માટે ઘટ (= કાર્યો અને કારણનો (મૃતિંડનો) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004991
Book TitleDravya Guna Paryaya no Ras Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2005
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy