SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૬ ઢાળ-૪ : ગાથા-૧૩ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ દ્રવ્યારથ નઈ ઉભય રહિયાથી, અભિન્ન તેહ અવાચ્યો રે | ક્રમ યુગપત નય ઉભય ગ્રહિયાથી, ભિન્ન અભિન્ન અવાચ્યો રે . ૪-૧૩ ટબો - પ્રથમ દ્રવ્યાર્થકલ્પના, પછઇ-એકદા ઉભયનયાર્પણા કરિઇ, તિ વારઈ કથંચિત્ અભિન્ન અવક્તવ્ય ઈમ કહિએ, ૬. અનુક્રમઈ ૨ નયની પ્રથમ અર્પણા, પછઈ ૨ નયની એકવાર અર્પણા કરિઇ, તિ વારઈ કથંચિત્ ભિન્ન અભિન્ન અવક્તવ્ય ઇમ કહિએ (૭). એ ભેદભેદ પર્યાયમાંહિ સપ્તભંગી જોડી, ઇમ સર્વત્ર જોડવી. વિવેચન - આ ગાથામાં ભેદ-અભેદની સપ્તભંગીનો પાંચમો ભંગ કહ્યો છે. પહેલાં સ્વતંત્ર રીતે પર્યાયાર્થિકનયની અર્પણ કરવામાં આવી હોય ને પછી યુગપત્ ઉભયનયની અર્પણા કરવામાં આવી હોય તો સ્વાદ્ધિ મેવ, ચાલવાચ એવ... આવો, પાંચમો ભંગ આવે છે. | પર છે ગાથાર્થ - પ્રથમ દ્રવ્યાર્થનયની અર્પણા. ને પછી ઉભયનયની યુગપત અર્પણા... આ રીતે લેવાથી પદાર્થ “અભિન્ન-અવાચ્ય ભાસે છે... ને ક્રમથી બન્ને નયની અર્પણા તથા પછી યુગપત્ બન્ને નયની અર્પણ કરવાથી પદાર્થ ભિન્ન-અભિન્ન-અવાચ્ય ભાસે છે. I૪-૧૩ - વિવેચન - આ ગાથામાં ભેદ-અભેદની સપ્તભંગીના છેલ્લા બે ભંગ સમજાવ્યા છે. એમાં પ્રથમ દ્રવ્યાર્થકલ્પના અને પછી એકસાથે ઉભયનય અર્પણ કરવામાં આવે તો ત્યારે થંવિ(ચ) ખિન્ન-નવજી વ્ય મેવ એમ કહેવું જોઈએ. આ છઠ્ઠો ભંગ છે. અનુક્રમે બે નયની પ્રથમ અર્પણા... અર્થાત પર્યાયાર્થિનયની અર્પણા... ને પછી દ્રવ્યર્થનયની અર્પણા. આમ બન્નેની સ્વતંત્ર અર્પણા... તથા પછી બન્ને નયની એકસાથે અર્પણા કરવામાં આવે તો થંવિદ્ મિશ્ન-મન્ન-નવજીવ્ય (મેવ) એવો સાતમો ભંગ આવે છે. આમ ભેદ-અભેદ પર્યાયમાં સપ્તભંગી જોડી... આ જ રીતે સર્વત્ર જોડવી. અર્થાત એક-અનેક... સામાન્ય-વિશેષ. નિત્ય-અનિત્ય... વગેરે બધા પર્યાયોમાં સમભંગી લગાડવી. ઘડા કરતાં એના શ્યામવર્ણ વગેરે ગુણ-પર્યાય પરસ્પર ભિન્ન છે કે અભિન્ન ? આવા પ્રશ્નના ઉત્તરમાં આ સાત જવાબો જાણવા. એટલે કે જો પર્યાયાર્થિકનયથી વિચારીએ તો સ્થાત્રિ મેવ, જો દ્રવ્યાર્થિકનયથી વિચારીએ તો મિત્ર એવ... વગેરે રીતે સપ્તભંગી થાય છે. શંકા - આ સપ્તભંગીમાં ચાવી કહ્યું છે. આ અવાચ્ય શબ્દ અને અનભિલાખ શબ્દ એ બે શબ્દો સમાનાર્થક છે. એટલે કે અવાચ્યના બદલે અનભિલાખ પણ કહી શકાય છે... વળી શાસ્ત્રોમાં અનંતા પદાર્થોને અભિલાપ્ય હોવા કહ્યા છે અને એના કરતાં અનંતગુણા પદાર્થોને અનભિલાપ્ય હોવા કહ્યા છે... એટલે શું એમ કહી શકાય કે ત્રીજા વગેરે જે જે ભંગમાં “અવાચ્ય' છે ત્યાં ત્યાં સર્વત્ર વિવક્ષિત પદાર્થ આ અનંતાનંત અનભિલાપ્ય પદાર્થોનો જે રાશિ છે, એમાં ભળી જાય છે ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004991
Book TitleDravya Guna Paryaya no Ras Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2005
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy