________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
વિવેક વિલાસ.
શિષ્ય—એ સ્વનિ સાચા પડતાં હશે કે નહીં?
સરિ–મેં ઉપર જે કારણે દશાવ્યાં તે કારણોના પરિણામે જે સ્વપ્ન આવ્યાં હોય તે તે બિલકુલ નિષ્ફળ જાય છે, પણ તે ઉપરાંત સ્વમ આવવાનાં બીજાં કેટલાંક દેવી કારણે હોય છે. ધર્મકૃત્યના પ્રભાવથી તેમજ દેવતાદિના જે સ્વપ્ન આવે છે, તે ઘણી વાર ખરાં પડે છે.
શિષ્ય–દેવી કારણ વિનાનાં જે સ્વપ્નમાં આવે તે બધાં શું નિરર્થક જતાં હશે?
સૂરિ–નહીં, સ્વપનશાસ્ત્ર એ આપણું એક પ્રાચીન શાસ્ત્ર છે. તે સંબંધમાં આપણા પૂર્વાચાર્યોએ પિતાની દિવ્ય દષ્ટિથી એવાં સત્ય શોધી કાઢ્યાં છે કે જેને પુરેપુરો ખ્યાલ હજી પાશ્ચાત્ય પ્રજાને નથી આવી શક્યો. ટુંકામાં એટલું સમજી લેવું બસ થશે કે જેઓ તદ્દન નીરોગી હોય છે, જેઓ પોતાની ઇંદ્રિયને સંયમમાં રાખી શકે છે અને જે નિર્દોષ તથા પવિત્ર ચિત્તવાળા હોય છે, તેમનાં સ્વનિ કદિમિથ્યા થતાં નથી
શિષ્ય—એજ સંબંધમાં બીજી એક વાત પૂછી લઉં સઘળાં સ્વનિ સુરતમાં જ પિતાનો પ્રભાવ બતાવતા હશે?
સૂરિ–સામાન્ય રીતે એ નિયમ છે કે રાત્રીના પ્રથમ પહોરે જે સ્વપ્ન આવે તે પ્રાયઃ એક વર્ષે પિતાને પ્રભાવ બતાવે, બીજા પહોરનું વન છ માસે, ત્રીજા પહોરનું ત્રણ માસે, ચોથા પહોરનું એક અને માસે રાત્રીની છેલ્લી બે ઘડીએ દીઠેલું સ્વન દશ દહાડે અને સૂર્યોદયના વખતનું વન સુરતમાં જ ફળ આપે છે.
For Private And Personal