________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સ્ત્રી-પુરૂષને સાચા સલાહકાર
વિવેક વિલાસ
' યાને સૂરિશિષ્ય સંવાદ.
(૧) સૂરિતમે બરાબર વખતસર જ મારી પાસે આવી પહોંચ્યા છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચાર પુરૂષાર્થની પ્રાપ્તિ ઈચ્છનાર મનુષ્યએ રાત્રીને આઠમે પહેાર બાકી રહે તે વખતે અર્થાત્ લગભગ સાડા ચાર વાગે પથારીમાંથી જાગૃત થવું જોઈએ.
શિષ્ય—પણ કેટલીક વખત રાત્રી બેચેનીમાં અને સ્વનિમય સ્થિતિમાં પસાર થાય છે. તેનું શું કારણ હશે? ગુરૂદેવ!
સૂરિ–કોઈ અનુભવેલી વાત મનમાં રહી જવાથી, પ્રત્યક્ષ જોયેલી વસ્તુનું ધ્યાન કર્યા કરવાથી તેમજ અજીર્ણ ચિંતા અને સ્વભાવષ આદિ કારણોને લીધે મનમાં વ્યાકૂળતા થઈ આવવાથી, મનુષ્ય પુરી નિદ્રા લઈ શકતા નથી, તેથી તેમની રાત્રી સ્વનાઓ જેવામાં જ પસાર થઈ જાય છે.
For Private And Personal