________________
८८
જ્ઞાની પુરુષ (ભાગ-૧)
દાદા વાતો કરતા દેખાય ને ? જોને ત્યારે, નહીં તો દાદા શી રીતે દેખાય? આ જુઓને, દાદા જેવી વાત સંભળાય છે ને ?
આજે જ્ઞાની પુરુષના હાથે (ઔરંગાબાદમાં) સિનેમા થિએટરના ઓપનિંગ માટે કાતર મૂકાય, એ પણ મને આશ્ચર્ય થાય છે ! આ સિનેમાના ઓપનિંગ પરથી એવું દર્શનમાં આવે ખરું કે કદાચ આપણું જ્ઞાન અહીંથી (આ માધ્યમથી) પ્રકાશ પામે ! કેમ કે આ સાધન સંસ્કાર પ્રકાશમાન કરવા માટેનું જબરું સાધન છે ! આની પાછળ મોટા કૉઝિઝ હશે ને ? મને પણ અજાયબ લાગે છે!
પ્રશ્નકર્તા : છાપાંમાં પણ અત્યારે બધી ખરાબ વાતો જ આવે છે, મન બગડી જાય વાંચીને.
દાદાશ્રી : હવે છાપાં એટલા નુકસાનકારક નથી, કારણ કે જ્યારે જગત સારા ભાવમાં આવે ને, ત્યારે એ છાપાંમાં સરસ-સરસ વાતો વાંચવાના. તેથી એના ભાવ બહુ સુંદરેય થાય પાછા. છાપાં વીતરાગ છે.
હરિજાતો તિરસ્કાર નહોતો પસંદ પ્રશ્નકર્તા : એ જમાનાની એવી કોઈ વાત ખરી કે જે તમને નહોતી ગમતી ?
દાદાશ્રી : અત્યારે તો આ પુણ્યશાળી પાક્યા બધા, તે ડૉલરો દીઠા. કારણ કે દાનત સારી, તિરસ્કાર નહીં લોકોનો. અને અમારી પ્રજા તો કેટલે સુધી બગડેલી ! “એય, હરિજનને કેમ અડ્યો ?” કોઈ છોકરું હરિજનને અડ્યું હોય ભૂલથી, તેમાં એને ટેડકાવે, ‘તું અડ્યો કેમ એને ?” આવી પ્રજા ! આ તો જ્ઞાની છું એટલે શું બોલું ? નહીં તો રાજા હોત ને, તો ગોળીબાર કરાવડાવત. આ આવું કરો છો બધું? જંપીને જીવવાયે નથી દેતા ? કૂતરા-બિલાડા પેસી જાય મહીં ઘરમાં તો ચાલે અને આ હરિજનને શું ? એ બિચારા આખું ગામ વાળવા આવે, એ બધું સાફ કરવા આવે, એ સેવા કરવા આવે ગામની. તેને બદલે આપવા-કરવાનું નક્કી કરેલું હોય થોડુંઘણું એમનું ઘર ચાલે એવું, પણ તે કાયદો શો ?