Book Title: Gnani Purush Ppart 01
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Aradhana Trust

View full book text
Previous | Next

Page 430
________________ [૧૦.૭] યમરાજતા ભય સામે શોધખોળ જમરાતી અવળી માન્યતા એકલા હિન્દુસ્તાનની હું નાનો હતો તે દહાડે ગામડામાં શું ચાલતું'તું કે જમરા છે ઉપર. માણસ મરી જવાનો થાય ત્યારે જમરા લઈ જવા આવે છે, બધા જીવને. એટલે આ લોકો શું માનતા હતા? આખું જગત નહીં, હિન્દુસ્તાન એકલું જ. માણસ માંદો થાય ને, એટલે જમરા જીવ લેવા આવે છે. જમરા નામનું જીવવું છે તે ખાઈ જાય છે બધાને. - હવે આખા હિન્દુસ્તાનમાં આ માન્યતાએ એટલો ભયંકર રોગ ઘાલી દીધેલો હતો. ત્યારે દુનિયામાં જમરા વગર ચાલે છે ને, આપણા હિન્દુસ્તાનમાં જ જમરા ! હિન્દુસ્તાન સિવાય બીજા લોકોને જમરા વગર ચાલ્યું અને આમને જમરા વગર નથી ચાલતું. હવે બીજા કોઈ દેશમાં મારતા મારતા જમરા આવતા એ વાત જ નહીં ને ! આ એકલો જ દેશ એવો હતો કે જમરા અહીંયા આવે છે ! દસ વર્ષેય વિચાર આવતા અવળી માન્યતા સામે મેં કહ્યું, ‘જમરા બહારના લોકો માને છે કે નથી માનતા ?” દસબાર વર્ષે મને આ બધા વિચાર આવતા હતા. હવે આખા હિન્દુસ્તાનમાં બધે જમરાના ભૂત ઘાલી દીધેલા.

Loading...

Page Navigation
1 ... 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480