________________
જ્ઞાની પુરુષ (ભાગ-૧)
અને ભગવાન આ રેવન્યુ કેવી રીતે કલેક્ટ કરતો હશે ? અને આ બધું શું હશે આની પાછળ ?'
૩૮૨
પછી આમ કરતા કરતા બધી આગળ વાત ચાલી, ‘તો ભગવાન શું કરતો હશે ? ભગવાન પૈણેલો હશે કે કુંવારો હશે ? વાંઢો હશે ? આ બધાને બૈરી મળે છે ને ભગવાનને બેરી નહીં મળી હોય ? અને મળી હોય તો ભગવાનની સાસુ કોણ હશે ? સસરો કોણ હશે ?' આ બધું મને વિગતવાર કહો, એવી બધી તપાસ કરી. તે કોઈ જવાબ આપી શક્યો નહીં. એક સંત પુરુષ હતા, તેય જવાબ ના આપી શક્યા.
એ બધી વાતો પર તો બહુ જ વિચાર આવે મને. એ એક વિચાર ઉપરથી તો નર્યા વિચાર, વિચાર, વિચાર આવે. એટલે પછી ગૂંચાઈ જાવ હું. હું જાણું કે આ બધી ગૂંચામણ છે, બધું ખોટું છે, આ બધું તૂત છે.
પછી એના બહુ વિચાર કરતા કરતા ઠેઠ સુધી વિચાર ગૂંચાયેલા રહ્યા. આમ મોટી ઉંમર થતી ગઈ ને, તેમ વિચાર કરતા એમ લાગ્યું કે આ કોઈ જમા નામનું જીવડું હતું જ નહીં. બધું મથામણ કરવા માંડી એટલે મહીં શ્રદ્ધા ઊડી ગઈ એ બાજુની, જમરા નામની. એટલે તે દહાડાથી આવા વિચારો જાગેલા.
કર્યું જાહેર, ‘જમરા તામતું જીવડું જ તથી'
તે છેવટે પચ્ચીસમે વર્ષે મેં ખોળી કાઢ્યું કે જમા નામનું જીવડું જ નથી. તપાસ કરી ત્યારે ગપ્પે નીકળ્યું બધું. તે એને જ્યારે શોધખોળ કરીને ત્યારે એ છોડ્યું. જમરા નામનો દેવેય નથી, આ બધું બોગસ જ છે, વાત જ ખોટી છે સાવ. સો ટકા વાત ખોટી છે, એક ટકોય સાચો નથી.
એ જમરાને માટે મેં એટલી બધી શોધખોળ કરી, તપાસ કરીને હવે બધાને જાહેર કરી દીધું કે જમરા નામનું જીવડું છે નહીં. આ તો લોક બધા સમજ્યા વગર ઠોકાઠોક કરે છે કે જમરા આમ કરે છે ને ફલાણું કરે છે.
કો’કે આ જમરા નામનું ખોટું ભૂત ઘાલ્યું છે. કોઈ જમરો લેવા આવે પણ કોઈ છે જ નહીં જમરો. જમરાની હયાતી જ નથી, કોઈ જન્મ્યોય