Book Title: Gnani Purush Ppart 01
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Aradhana Trust

View full book text
Previous | Next

Page 442
________________ [૧૦.૭] યમરાજના ભય સામે શોધખોળ ૩૮૫ નિયમથી સવાર થાય, નિયમથી રાત પડે. નિયમરાજ તમને સમજાયું ? નિયમ જ લઈ જાય છે. પ્રશ્નકર્તા : હવે આનો હિસાબ કોણ રાખે ? દાદાશ્રી : કુદરતનો નિયમ એવો છે કે આનો હિસાબ નિયમ જ રાખે છે. નિયમરાજ એટલે કુદરતના કાયદાના આધારે આ ચાલે, તેમાં વચ્ચે ભગવાનની કે કોઈની જરૂર નથી. તમે વ્યવસ્થિત જાણો છો ને ? વ્યવસ્થિત જ કરે છે ને બધું ? હવે એમાં કંઈ મારવાનું રહ્યું ? એટલે ત્યાં રસ્તામાં કોઈ કષ્ટ-બષ્ટ કરતું નથી. કોઈ છે જ નહીં, કોઈ બાપોય નથી ત્યાં આગળ. અને જમરા કંઈ ત્યાં મારતા મારતા લઈ જાય છે ? મેં કહ્યું, “કોઈ ભય પામશો નહીં. કોઈ લેવા આવનારું નથી, નિયમરાજ છે. તમને ગમશે ?” ત્યારે કહે, “એ તો બહુ સારું. તો તો ભય ના લાગે, નિયમરાજ છે એટલે.’ લોકો સમજે કે આ નિયમરાજ છે, હવે વાંધો નથી. નિયમરાજને ઓળખ્યા તમે ? જો યમરાજ કહે તો કેટલો ભડકાટ ઊભો થાય ? ને નિયમરાજ કહે એટલે ફોડ પડે. એ બધાનો ભડકાટ ઊડી જાય. એટલે આ આવો બધો કચરો અમે કાઢી આપીએ. આ નિયમરાજને બદલે યમરાજ મૂકીને આ લોકોએ તેલ કાઢી નાખ્યું ! ત્યારે મૂઆ, આવું શું કામ મારી નાખ્યા ? લોકોને કહી દો ને, છેવટે તે નિયમરાજ છે, યમરાજ શું કરવા ઘાલી દીધા ? હવે પહેલેથી નિયમરાજ કહ્યું હોય તો વાંધો હતો? હેતુ પાપ કરતા અટકાવવાનો પ્રશ્નકર્તા: ના. તો આવો જમાનો ખોટો ભય શા માટે ઘુસાડ્યો હશે પહેલાંના લોકોએ ? દાદાશ્રી : જમરાનો ભય શાથી દેખાડતા’તા લોકો ? ત્યારે આગળ જે યમરાજ કહેનારા તે કંઈ ગાંડા હતા ? ગાંડા નહોતા. તે લોકોએ શા હારુ આ નિયમરાજને બદલે યમરાજ મૂકેલા ? દુ:ખી કરવા માટે નહીં

Loading...

Page Navigation
1 ... 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480