________________
[૮.૪] ભાભીના ઊંચા પ્રાકૃત ગુણો
૨૬૫
જ્ઞાન તમને આપવા જેવું નથી. જ્ઞાન તો તમને ફરી મળી આવશે આવું, તમારો ને મારો કૌટુંબિક સંબંધ થયો એ તો કંઈ જેવો તેવો નથી. તમે જે કરો છો એ બરાબર છે. તમારે તો જ્ઞાન જ છે ને ! તમારે શું કામ છે આ ?” એમ કહીને પાછા કાઢ્યા. કેટલું માણસ હતું સાથે અને એમના આધારે તો બહુ વળે.
પ્રશ્નકર્તા : સાચી વાત છે.
દાદાશ્રી : હું કહું, ‘તમારો ધર્મ બહુ સરસ છે.” એ એમની મેળે નમસ્કાર કર્યા કરે. એની મેળે પતે એવું હોય ને, તો આપણે એને અહીં ઘાલીએ નહીં. અહીં ક્યાં આગળ રાખીએ બધાને ? આ પાંચસોનું અહીં આગળ જમવાનું બનાવવાનું મુશ્કેલ પડે છે, તો પછી બધાનું શું થાય ? આપણે ટોળું વધારવા નથી આવ્યા. આપણે તો જેને દુઃખમુક્ત થવું હોય સંપૂર્ણ, તેને માટે છે આ બધું.
પ્રશ્નકર્તા : બરાબર.
દાદાશ્રી : એટલે આપણી ઈચ્છા જ નહીં એમને આ બાજુ લાવવાની.
અંતે ભગવાન જાણી કરતા આરતી પ્રશ્નકર્તા: હવે તમારા ભાભી આવીને આપના દર્શન કરે ખરા?
દાદાશ્રી : હા, પંદર-વીસ વર્ષથી કરે છે આમ બેસીને બધું. આમના જેવા કોઈ કહે કે “ભગવાન છે,” ત્યારે પાછા પગે લાગે. એ તો પહેલેથી પગે લાગે બધાને, દરરોજ. જ્યારે હોય ત્યારે નીચે બેસીને પગે લાગવાનું સાડલો પાથરીને. એટલે અમારે થોડુંઘણું ઋણાનુબંધ ઓછું થયું ને ત્યારે ! પણ હજુ છે. આમણે કહ્યું તો આરતી ઉતારે. ત્યાં ભાદરણ ઘેર જાઉ ત્યારે આરતી ઉતારે હઉં.
પ્રશ્નકર્તા : બરાબર.
દાદાશ્રી : આ નીરુબેન સમજણ પાડે ત્યારે આરતી કરે પાછા.