________________
[૯] કુટુંબ-પિતરાઈ-ભત્રીજા
૩૩૧ છે એટલે તમને દાદાની બહુ ઓળખાણ ના પડી. લોકો એમનો બહુ લાભ લે છે.
દાદાશ્રી : એમ !
પ્રશ્નકર્તા : દાદા, અમે હઉ આવી પડ્યા, અમારે તમને છોડવા નથી હવે.
દાદાશ્રી : ના, હવે તમે શાના છોડો ? મહા પુણ્યશાળી છો. પ્રશ્નકર્તા આ પગ અમે છોડીએ નહીં, દાદા.
દાદાશ્રી : આ છોકરાઓ બહુ પુણ્યશાળી કે આ દાદાનો એમને લાભ મળે છે. દાદા ઘેર બેઠા કંઈથી આવવાના હોય આપણે ત્યાં ? ઘેર બેઠા, કોઈને બોલાવવાય ના જવું પડે. એ પુણ્ય છે ને, એક જાતનું. પુણ્ય ખરું ને ?
પ્રશ્નકર્તા: ખરું. દાદાશ્રી : હક, હક આપણો.
આ અવતારમાં ખરા ફાવી ગયા, નહીં ? તમને લાગે છે એવું ? અનંત અવતારનું સરવૈયું વળી ગયું !
સામો પડઘો ન પડતા ડાહ્યા થયા ભત્રીજા
એટલે અમને જે સામા થયા ને, ભત્રીજાઓ ને બધા, એ બધા ડાહ્યા થયા હવે. કારણ કે અમારો સામો પડઘો ના પડે ને !
પ્રશ્નકર્તા : દાદા, વધારે સમજાવો ને !
દાદાશ્રી : એને શુદ્ધ જ જોઈએ અમે. એનો દોષ જ નથી એવું જોઈએ, અમારો જ દોષ છે એવું દેખાય. આ દૃષ્ટિ અમારી રહે એટલે પછી એનો સામો પડઘો પડે નહીં. એટલે એને સુધરી જ ગયે છૂટકો. જ્ઞાન નહોતું ત્યારે અમને ભેગા થયા તેમાં અડધા સુધરી ગયા અને કોઈ બગડી ગયા. લોકો કહેતા'તા કે આ તમે બહારવટિયા બનાવો છો લોકોને.