________________
[૧૦.૧] વિધ વિધ ભય સામે... મરણનો ભય, તો થતું કે આ ન ખપે આપણને પ્રશ્નકર્તા: દાદાજી, નાનપણમાં તમને બીક લાગતી'તી? દાદાશ્રી : નાનપણમાં બધા બીવે, હુંય બીતો'તો.
હું તો નાનો હતો ત્યારે મને મરણનો ભય લાગતો હતો. જન્મે તે મરવાના જ છે. મને કમકમાટી થતી હતી અને નાનપણથી જ થતું હતું કે આ બધું આપણને ન ખપે.
પ્રશ્નકર્તા: કોઈનું મરણ જોયેલું ?
દાદાશ્રી : મેં નાની ઉંમરમાં મરણ જોયેલું. એક વખત લગ્નમાં છે તે પેલા બંદૂકના ભડાકા કરનારો માણસ, તેની બંદૂકમાં કંઈક ભૂલ થઈ ગઈ અને મરી ગયો. તે ત્યાં આગળ લોહી પાર વગરનું ! તે અમે તો નાની ઉંમરના દસ-બાર વર્ષના, તે ભડકી ગયા. તે અત્યાર સુધી ભડકાટ હતો, જ્ઞાન થયા પહેલાં. કારણ જોયેલું જ નહીં ને આવું બધું !
નાનપણમાં લાગતો હતો સાપ-વીંછીતો ડર પ્રશ્નકર્તા બીજી શેની બીક લાગે, દાદા ?
દાદાશ્રી : સાપની બીક લાગે ને ભૂતની બીક લાગે. લોકોને વહેમ બધા જાતજાતનાને !