________________
૨૬૬
જ્ઞાની પુરુષ (ભાગ-૧)
આપણે ત્યાં ગયા ને, એટલે એ કહે કે “મારે દાદાની આરતી ઉતારવી છે. તે બધાની રૂબરૂમાં એમણે આરતી ઉતારી'તી. આ ઉદયકર્મના કેવા ગૂંચવાડા હોય છે !
કર્મના ગૂંચવાડા થયા કૂણા તોય દાદા રહે ચેતતા
પ્રશ્નકર્તા: પણ એટલું કૂણું થયું કહેવાય ને ? તો પછી હવે ક્યાં રહ્યું ?
દાદાશ્રી : પણ અમે ચેતતા રહીએ, ફાઈલ છે ને ! ફાઈલ, ફાઈલ ! મારા કહેતા પહેલાં એ વાત સમજી જાય આખી.
પ્રશ્નકર્તા : એટલે બહુ વિચક્ષણ !
દાદાશ્રી : બહુ વિચક્ષણ, જબરજસ્ત ! તે મારે અડધો બોલ બોલવો પડે. આ બધો હિસાબ છે એ ફાઈલોનો, તે હું જેમતેમ નીકળેલો. મારો હિસાબ પતી જાય તો બહુ સારું. આમના જેવા પતાવી આપે, લવાદી કરીને.
પ્રશ્નકર્તા ઃ દાદા, પતાવવા જેવું છે જ શું એમાં કંઈ ? દાદાશ્રી : ના, કશું જ છે નહીં.
પ્રશ્નકર્તા : આપને પેલું ફ્રેક્ટર થયું'તું ત્યારે એક વખત આપની તબિયતની ખબર કાઢવા આવેલા, મને યાદ છે.
દાદાશ્રી : હા.
પ્રશ્નકર્તા : પણ તે વખતે બહુ જ લાગણીથી આપને પૂછતા'તા, તબિયતના સમાચાર.
દાદાશ્રી : લાગણી તો ખરી પણ પાછું વધારે તો પેલું. પ્રશ્નકર્તા: પણ લાગણી હોય ત્યાં આવું રહેવાનું જ. દાદાશ્રી : રાગ ને દ્વેષ બેઉ હોય ને !
એક વખત તો જયંતી ઊજવી ત્યારે કહે, “મારે બીજી ઉજવવી છે.” મેં કહ્યું, ‘તમે એ જ કહો છો ને, તમે દાદા જીવજો.”