________________
[૫.૨]
પૂર્વેતા સંસ્કાર થયા જાગ્રત, માતા થકી
બાને પજવ્યા કૃષ્ણ ભગવાતતી જેમ
પ્રશ્નકર્તા : તમે બાને પજવેલા ?
દાદાશ્રી : કેટલીય વખત બાને પૂછયા વગર મહીંથી દહીં કાઢીને ખાઈ ગયો, મહીંથી ત૨ કાઢીને ખાઈ ગયો, ફલાણું ખાઈ ગયો. નાનપણમાં એવું કરેલું.
પ્રશ્નકર્તા ઃ તો તમારી પૂજા કરવી જોઈએ, કૃષ્ણ બધું કરેલું તો લોકો પૂજા કરે છે.
ભગવાને આવું
દાદાશ્રી : હા, એ તો બધું હું બાને કહ્યા-કર્યા વગર ખાઈ જઉ. એટલે મારી જોડે એક-બે છોકરાંઓ રહેતા, તે કહે છે, ‘તમે કૃષ્ણ ભગવાન છો. આ આવું તો કોઈ તર ખાઈ નહીં, બધી.' બધી તર ખાઈ જઉં. બાને ઘી જ ઊતરે (થાય) નહીં.
હવે આ જ્ઞાન થયા પછી અત્યારેય મને મહીં કેટલાક લોક કહે, ‘તમે તો પહેલેથી જ કૃષ્ણ ભગવાન જેવા હતા. આવું બધું કરતા’તા ને !’ ક્ષત્રિય બ્લડ, તે ઘડીમાં હલ્દીઘાટી જામે
પ્રશ્નકર્તા : દાદા, આપે કહ્યું કે આપ તોફાની હતા, તે કોઈને મારેલું આપે ? કોઈ બાળકોને મારેલા કે નહીં નાનપણમાં ? ત્યારે ઝવેરબા શું કરતા ?