________________
૧૫૮
જ્ઞાની પુરુષ (ભાગ-૧)
પ્રશ્નકર્તા : પણ દાદા, કાન્તિભાઈ ગયા ત્યારે તમને જરાય ઈફેક્ટ નહોતી દેખાતી.
દાદાશ્રી : ના, તે દહાડે રડવું નહીં આવેલું. હું તે દા'ડે બહારગામ હતો. અહીં હોત ને, મને રડવું શેના પર આવે છે ? મરનાર ઉપર નથી આવતું, બીજા લોકોને ઢીલા દેખું ને, તો મને આવે છે. એ તો ત્યાં આગળ કો'ક એકદમ ધ્રુસકે ધ્રુસકે રડી પડે ને, તે જોઉ તો મને અસર થઈ જાય પછી. અત્યારેય અસર થાય. અહીં કોઈ રડતું હોય ને, તો અસર થઈ જાય. પણ એની અસર બીજા લોકો ઉપર વધારે પડશે એમ માનીને એનેય કંટ્રોલમાં લઈએ અમે. બીજાને વધારે અસર પડી જાય ને ! બાકી શરીર તો એવું જ હોય, દેહ તો એવો જ હોય.
પ્રશ્નકર્તા : એમ નહીં, દાદા. એ બે સ્થિતિ, મધર ઓફ થઈ ગયા ત્યારે અને હમણાં એ બેમાં શો ફેર ?
દાદાશ્રી : તે દહાડે તો આ મધરનો પ્રેમ જ ખાલી, પ્રેમ જ રડાવે છે.