________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિપેણે ઝીણી આંખો કરી કહ્યું: ‘હા, જો એને પતાવી દે. તો પછી કાયમની પીડા ટળી જાય... નહીંતર મને લાગે છે કે પિતાજી એને યુવરાજ બનાવશે.. અને ભવિષ્યમાં રાજ પણ એને..”
તો તો ભારે થાય...' સારંગે નારંગ સામે જોયું.
અને ધીરે ધીરે રાજ્યમાં એનો પ્રભાવ પણ વધી જાય... પછી તો એનો વધ કરવો સરળ ના રહે...' નારંગ બોલ્યો.
અત્યાર સુધી બધી વાતો સાંભળી રહેલો સાજન બોલ્યો: “તો પછી કુમાર, મનમાં કેમ મૂંઝાઓ છો? અમે બધા તમારા મિત્રો શા કામના? માત્ર જલસા કરવાના મિત્રો છીએ? અમને આજ્ઞા કરો.... એટલે કામ પતી જાય...'
વિષેણ બોલ્યો: “સાજન, સેનકુમારને તું જાણે છે? એનું બળ અને યુદ્ધકૌશલ જાણે છે?”
ના હું તો એને મળ્યો જ નથી...” ‘તારા જેવા સો જણને એ એકલો પહોંચી વળે એવો યુદ્ધકુશળ છે, બળવાન છે. વળી, એની સાથે પેલો પ્રીતસિંહ, કુમારનો પડછાયો બનીને રહે છે. કુમાર બહાર નીકળે એટલે સિંહ પાછળ હોય જ...'
કુમાર, તમે અમને સેનકુમારનો આટલો પરિચય કરાવી દીધો તે સારું કર્યું. છતાં અમે તેને પહોંચી વળીશું. બે દિવસમાં અમે એ કામ માટે યોજના બનાવી દઈએ.. પછી એ કામ એક જ દિવસનું છે! કામ યોજનાબદ્ધ હોય તો સફળ થાય છે.” નારંગે પોતાના મિત્રો સામે જોયું. સહુએ માથાં હલાવીને સંમતિ આપી.
નારંગે વિષેણને કહ્યું: “આપની ઈચ્છા પૂર્ણ થશે. અમે ચારે મિત્રો એ કામ પાર પાડીશું. આપને સમાચાર આપીશું.’ વિષેણે કહ્યું: “સાવધાન રહેજો, મારું નામ ક્યાંય ના આવવું જોઈએ.” નહીં આવે, નિશ્ચિત રહેજો.” મિત્રો ચાલ્યા ગયા. વિષેણ એના શયનખંડમાં ગયો.
૦ ૦ ૦. સેનકુમારના માથે કોઈ જ જવાબદારી ન હતી. તેણે એ કાળે, રાજકુમારને યોગ્ય અધ્યયન કરી લીધું હતું. શસ્ત્રકળામાં અને યુદ્ધકળામાં નિપુણતા પ્રાપ્ત કરી લીધી હતી. તે સરળ પ્રકૃતિનો જીવ હતો. વિનમ્ર હતો. તેનામાં બળ અને બુદ્ધિ, બંનેનો સમન્વય થયેલો હતો.
તેને જંગલમાં દૂર દૂર રમણીય પ્રદેશોમાં ફરવાનો શોખ હતો. તેનો પોતાનો રોત શ્રી સમરાદિત્ય મહાકથા
૧૦૨૭
For Private And Personal Use Only