________________
વ્યાખ્યાન ૨૬ पंचमहब्धया पन्नत्ता, तंजहा-सव्वाओ पाणाइवायाओ।
રચના પ્રથમ છતાં સ્થાપના પ્રથમ નહિ
ગણધર મહારાજા શ્રીમાન સુધર્માસ્વામી મહારાજે ભવ્ય જીના ઉપકારને માટે, શાસનની પ્રવૃતિ માટે, મોક્ષમાર્ગ વહેવડાવવા માટે દ્વાદશાંગીની રચના કરતા થકા પ્રથમ પૂર્વોની રચના કર્યા છતાં જે પૂર્વોની અંદર ત્રણ લોકની સર્વ વસ્તુઓનું, સર્વ કાળ સંબંધી નિરૂપણ કરવામાં આવેલું છે, એવા પૂર્વોની રચના કર્યા છતાં સ્થાપના કરતી વખતે તે તે પૂર્વેને પહેલાં સ્થાપન નહિ કરતાં આચારાંગને પ્રથમ સ્થાપવામાં આવ્યું
જૈન શાસનનું મૂળ આત્મશુદ્ધિ આત્મશુદ્ધિ જન શાસનનું મૂળ છે. બાહ્ય આચાર હોય ત્યાં અત્યંતર શુદ્ધિ હેય જ એમ જૈન શાસન કબૂલ કરતું નથી. દેવની પરીક્ષાને અંગે હથિયાર, માળા, સ્ત્રી ન હોય તે જ તેને દેવ તરીકે માનવા. શંકા–અત્યંતર શુદ્ધિ હોય, ને સ્ત્રી હોય તે શું ગયું ? સ્ત્રીના હાથે હાથ મેલાવનાર કેવળજ્ઞાન પામે, તે પાસે રહેલી સ્ત્રી શું નહી ? સમા-એકાંતિક મહાવ્રત ચોથું છે. બાકીના મહાવતે અનેકાંતિક છે. જિનેશ્વર મહારાજે કોઈ પણ ચીજ કરવી જ જોઈએ એવા તરીકે નિયમિત કરી નથી. કરવાને અંગે નિયમ ન રાખે, પણ “અંદર બેસસે નહિ” તે આપોઆપ બહાર જવાનું આવી ગયું. “વ્યવહાર બંધ” એ ગુનો નહિ, “ન્યાત બહાર ” ગુને. તેમ અમુક કરવું જ જોઈએ એ ફરજ રાખી તેથી અમુક ન જ કરવું એ ફરજ આપઆપ આવી જાય. સર્વથા નિષેધ કશાન કરેલો નથી, ફાલતુ મનુષ્ય ગમે તેમ બેલી દે. ફાલતુ મનુષ્યનું આ બેલેલું નથી.