________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૭
“હે ભગવન! આપના નીવારણ નક્ષત્ર ઉપર બે હજાર વર્ષની સ્થિતિને ત્રીશમે ભસ્મગ્રહ આવશે. તે ઘણું યુદ્ધ છે; માટે એક મુહૂર્ત માત્ર આયુષ્ય વધારે તે તમારા તીથની પૂજાપ્રભાવના સારી થશે, નહિ તો પાછળ શિષ્યાદિક ચર્તુવિધ સંઘને પીડા થશે, તે મારાથી પણ ટાળી શકાશે નહીં.”
તે વખતે પ્રભુએ કહ્યું કે, “હે ઈન્દ્ર ! આ વાત ત્રણ કાળમાં કદાપી બને તેમ નથી. કારણ કે આયુષ્યમાં એક સમયને વધારો કરવાને પણ કોઈ સમર્થ નથી. વળી ભાવી કાળમાં જે બનવાનું છે, તે પણ બન્યા વિના રહેવાનું નથી.” - ત્યાર પછી પચાવન અધ્યયન પુણ્ય ફળ વિપાકના અને પંચાવન અધ્યયન પાપ ફળ વિપાના હ્યાં. ત્યાર પછી ત્રણ યોગને પી ચિદમાં યોગી ગુણઠાણે પાંચ હાસ્તાક્ષર કાલ રહીને સર્વ કર્મને ક્ષય કરી પ્રભુ મેક્ષે ગયા.
આ આસો વદ અમાસની રાતને કાળ હતો.
તે દિવસે નવ પાકી જાતિના રાજા તથા નવ લચ્છકી જાતિના રાજાએ તથા કાશી-કોશલના અધિપતિ પ્રભુને વાંદવા આવ્યા હતા. તે પોસહ ઉપવાસ કરીને રહ્યા હતા. તેમણે ભગવંતનું નિર્વાણ સાંભળ્યું. તેથી જાણ્યું કે ભાવ ઉોત તે ગયો પણ દીપકને દ્રવ્ય ઉદ્યોત કરે. એમ વિચારી દવા ક્ય. વળી ભગવાનને નિર્વાણ મહત્સવ કરવા માટે આકાશ માર્ગે જતા-આવતા દેવ-દેવીઓની જ્યોતિને લીધે તે રાત્રી ઉદ્યોતવાળી થઈ. તેમજ મેઈયા મેરઈયા' (અમે રહી ગયાં) એવા દેવોના મુખથી કે લાહલ થયે, તેથી લકમાં દીવાના મેરઈમાં કરવાની પ્રથા શરૂ થઈ.
For Private And Personal Use Only