Book Title: Mukti Kamal Charitra Mala
Author(s): Manjulashreeji
Publisher: Jain Shravika Upashray

View full book text
Previous | Next

Page 840
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir | તપનો પ્રભાવ * તપ એ મહાન ઉત્કૃષ્ટ ધર્મ છે. સાથે ભાવનારૂપી તિ ઝળહળતી હોય તે અતીવ ઉદ્યોતકારી બને. * તપશ્ચર્યા, શ્રદ્ધાપૂર્વક અને જ્ઞાનમય ક્રિયાની સાથે કર્મની નિર્જરા એ કર્મક્ષય માટે છે. * આ જીવને અનાદિકાળથી જે આહારની સંજ્ઞા લાગેલી છે તેને ઘટાડવા માટે આયંબીલનું તપ એ અજોડ સાધન છે. એક જ્ઞાનરૂપી ઘેાડાથી જોડાયેલા અને શ્રદ્ધારૂપી સારથીથી હંકાયેલા તપ, નિયમ અને સંયમરૂપી રથ નિવૃત્તિ નગરમાં લઈ જાય છે. * વિગય રહિત આહાર શરીરમાં જવાથી મન, વચન અને કાયા પણ નિર્મળ અને પવિત્ર બને છે 2 x x - જ્ઞાનનું મહત્વ * જ્ઞાન એ અંતરનું અજવાળું છે, હદયની રોશની છે, જીવ નની ઝળહળતી જ્યાત છે. તેના ઉધોત વિના કોઈ પણ વસ્તુ કે વિસ્તારવાળું કાંઈ પણ સ્વરૂપ જાણી શકાતું નથી. તેના પ્રકાશ વિના કોઈ પણ પ્રાણીને પદાર્થને કાંઈ પણ બંધ થઈ શકતો નથી. તેથી જ જ્ઞાનને ત્રીજું લોચન ને દ્વિતીય દીવાકર અને પ્રથમ પંક્તિનું ધન માનવામાં આવ્યું છે. જે જ્ઞાનથી એકાગ્રતા અને સમભાવ સધાય છે તે જ સાચું જ્ઞાન છે. * જ્ઞાન અને વિવેક એ જ ખરી આંખ છે, એના વિના માણસ છતી આંખે આંધળા છે. એક જ્ઞાન એ મિથ્યાત્વરૂપી અંધકારને નાશ કરવામાં સૂર્ય સમાન છે. અને જગતનું લોચન છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 838 839 840