________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭૮
તેમાંથી ઘણા એક કર્મ તો અકામ નિર્જરાએ ક્ષય થયા છે, અને શેષ સ્વલ્પ રહ્યો છે. પણ તે કર્મ નિકાચિત ચીકણું છે માટે તેને તે ભગવ્યા વિના છુટકો થવાના નથી. તેને વેગે અને તીર્થમાલનો સ્પર્શ થતું નથી એવું મુનિનું વચન સાંભળી માતા-પિતા અને પુત્ર એ ત્રણે જણ વૈરાગ્ય પામ્યા. પછી શ્રી ઋષભદેવના ચરણ-કમલને નમસ્કાર કરી ઘેર આવીને ધર્મને વિષે ઉદ્યમવંત થયાં. તે કુમાર સોળ હજાર વર્ષ પર્યત કોઢ ફોડા પ્રમુખ રેગની વેદના ભોગવીને અંત સમયે કમ આલોચી શુભ પરિણામે મરણ પામી, પહેલે દેવલોકે દેવતાપણે ઉપજે. તિહાંથી ચ્યવીને હે રાજા ! એ તારો પુત્ર થયો છે તેનું તે પિંગલકુમાર એવું નામ પાડ્યું છે એમ ગાંગિલ મુનિએ તે કુમારને પૂર્વભવ કહ્યો. હવે વળી મુનિ કહે છે –
મધય પાતા ઘથા છે, ન જાનાતિ હિતાહિમ : ધર્માધ ન જાનાતિ, તથા મિથ્યાત્વ મેહિ . ૧
ભાવાર્થ : જેમ મધુપાન ક્યથી જીવ હિતાહિતને ન જાણે તેમ મિથ્યાત્વના ઉદયથી મિથ્યાત્વી જીવ ધર્મ – અધમને ન જાણે.
L લાક મિથ્યાત્વે નાલીઢ. ચિતા નિતાન્ત
તવા તત્વે જાનતે નૈવ છવા; કિં જાત્યઘાટ કુચિસ્તુ જાત,
રમ્યા રમ્ય વ્યક્તિ માસા એસ. ૨
For Private And Personal Use Only