________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧૯
માસી કથા પ્રારંભ श्री गौतम गुरुभ्यो नम:॥ अथ चातुर्मासी पर्व व्याख्यान लिख्यते ॥ ચાતુર્માસિક પર્વનું વ્યાખ્યાન લખું છું. स्मार' स्मार' स्फुरझान, धाम जैन जगन्मतम् ॥ कार कार क्रमांभोजे, गौरवे प्रणाति पुनः ॥ (१) निबर्दा प्राकतः प्राज्ञे वीक्ष्य व्यारव्यान पद्वितम् । लिख्यते तीशतो व्याख्या, चातुर्मालिक पर्वणः ॥ (२) श्री पार्श्व सुखमागार, स्मार स्मार हृदांबुजे । व्याख्यान लिख्यते रम्य, चातुर्मासिक पर्वणः ॥ (३)
અર્થ
સર્વ જગતને પૂજ્યમાન, તથા જેનું જ્ઞાન દેદીપ્યમાન છે. એવું જિનરાજનું ધામ જે મૂર્તિ, તેને વારંવાર સ્મરીને તથા ગુરૂના ચરણ કમળને વિષે ફરી ફરી પ્રણામ કરીને તથા પ્રાચીન પડિત લેકાએ કરેલી વ્યાખ્યાનની પદ્ધતિ જોઈને ચાતુર્માસિક પર્વની વ્યાખ્યા. હું લેશ માત્ર કહું છું, સુખના ભંડાર એવા ત્રેવીસમાં શ્રી પાર્શ્વનાથ જિનેશ્વરનું મારા હૃદય કમળને વિષે વારંવાર સ્મરણ કરીને, પૂર્વાચાર્યો જેવી રીતે માસી પર્વની રચના કરી છે. તેને જોઈને મને હર એવું ચાતુર્માસિક પર્વનું વ્યાખ્યાન હું યથામતિ લખું છું.
અષાઢચોમાસું, કાર્તિક ચોમાસું. અને ફાગુન ચોમાસુ આવ્યેથી ધર્માથી શ્રાવકેએ ઉત્તમ પ્રકારે ધર્મક્રિયા કરવી. અન્ય સાક્ષેપ એવા વ્યવહારનય અને નિશ્ચયનય વડે યુક્ત શ્રી જિનશાસન ને
For Private And Personal Use Only