________________
બકરીને શું ખવરાવ્યું? રબારી કહે –“સાહેબ ! મેં ખૂબ ખવરાવ્યું છે. ખરેખર હવે તે ખૂબ ધરાઈ ગઈ છે. એટલે જરાય ખાશે નહીં.” રાજા કહે–સાચું કહે, તારી કમાલ શું છે? બધાને સમજાવ. રબારી કહે –“બાપલા ! એમાં કહેવાનું શું? મેં બકરીને ઘરે રાખી રોજ ખવડાવ્યું અને તેને તમારી જેમ તણખલું ધ૨. એ જેવી તણખલાને લેવા જાય કે તેને ફટકારું. એવી જોરથી લાકડીઓ મારી છે કે બકરીબાઈ તણખલા સામે મેટું કરવાનું ભૂલી ગયા છે.
વાહ! ભાઈ ! વાહ...! કમાલ છે તારી બુદ્ધિને....! તું સમજી ગયો છે. બકરી ગમે તેટલું ઘાસ ખાય પણ ન ધરાય. પણ માર ખાય તે જ ખાવાનું છોડે.
માનવની ઈન્દ્રિયે પણ એવી જ છે. માલ ખાવાથી કદી ધરાશે નહીં. માર ખાવાથી જ તે માગે આવશે.
સદાય ભૂખી બકરી જેવી ઈન્દ્રિયોને કાબુમાં લાવવી હોય તે આજ રસ્તે છે,
ઈન્દ્રિયનું પહેલાં દમન કરે...પછી શમન કરે