________________
૩૨૧
અર્જુન એક શ્રેષ્ઠ નાયક છે. તે જાણે છે કે હું કોઈને સતકાર્ય કરવાનું કહીશ તો કેઈ અન્યને કરવાનું કહેશે. પણ હું સત્ કાર્ય કરી લઈશ તો જ બીજે પણ તે કાર્ય કરશે. પહેલાં તમે વચનને પાળે પછી વચન તમને પાળશે.
અર્થાત્ તમારું વચન હંમેશા સિદ્ધ થશે. * મા-બાપની આજ્ઞા તે અવશ્ય માનવી જ જોઈએ પણ
મા–બાપના અનુરોધ કે અનુનયને આધીન થવું એ
જરૂરી નથી. ક દ્રૌપદી અર્જુનને વિદાય કરે છે તે પ્રસંગમાં જ તેમનું
નારીત્વ ખીલ્યું છે તે પતિ ભલે પંડમાં સમાય પણ પતિની પ્રતિભા તે પૃથ્વી પર પથરાવવી જ જોઈએ.
તેવી એક શીલવતી સતીની ઝંખના હોય છે. + વનવાસ એ જ મહાપુરુષેની જનેતા છે. વનવાસ બાદ
જ વ્યક્તિના જીવનમાં શક્તિના તે ખૂલ્લા થાય છે.
પ; “વનવાસ”ને સ્થૂલ અર્થ છે... વનમાં જઈને વસવું.
વનવાસને સૂક્ષ્મ અર્થ છે... કોઈની પણ અપેક્ષા વિના, કેઈની પણ સહાયતા વિના પોતે પોતાની જાત
પર જીવવું. R સાત્વિક આત્મા માટે વનવાસ રાજ્યવાસ કરતાંય ઘણો
ઉપકારી બને છે. .