Book Title: Abhinav Mahabharat
Author(s): Rajyashvijay
Publisher: Labdhi Vikramsuri Sanskruti Kendra

View full book text
Previous | Next

Page 435
________________ જેટલા યુદ્ધ વિશારદ છે તેના કરતાં ય મારી જુગા. તે રની વિશારદતા વિશેષ છે. ભલભલા પ્રતિસ્પધીઓને જુગાર રમાડવામાં હરાવવા એ મારું કામ છે. અને પેલા યુધિષ્ઠિરની તને ખબર છે કે તેઓ તો જુગારની રમત જુએ કે તરત જ ઘેલા ઘેલા થઈ જાય છે.... " તેઓ તારી સાથે જુગાર રમે એટલે તેના રાજ્યને પણ દાવમાં મૂકાવીને તેઓને નગરની બહાર કઢાવી મૂકું.” દુર્યોધન તે મામા શકુનિની આ યોજનાથી ખૂબ જ પ્રભાવિત થયા છે. દુર્યોધન કહે છે, “મામા, ચાલે ! આપણે તો અહીંથી જ પાછા વળી જઈએ અને પેલા પાંડવોની સંપત્તિના કેળીયા કરીને પાછા આવીએ.” શ્રીશકુનિજી: “દુર્યોધનજી! એમ ન થાય... એકવાર તે તમારે ઈંદ્રપ્રસ્થ જવું જ પડશે. અને ગમે તે હિસાબે તમારે આપણા વડીલ શ્રી ધૃતરાષ્ટ્રજીના આશીર્વાદ મેળવવા જ પડશે. ત્યાર પછી તેમની સંમતિથી જ આગળ વધાશે.” દુર્યોધન : “આવી બન્યું મારું ! મારા પિતા શ્રી ધૃતરાષ્ટ્ર મને જુગાર રમવાની અને તે ય પાંડેની સાથે જુગાર રમવાની મને રજા આપે ખરા ? આ વાત તે અશક્ય જ રહેવાની. ચાલે ત્યારે..જવા દે આ વાતને...

Loading...

Page Navigation
1 ... 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458