________________
પાંચ પતિ થશે? શું આ આકાશવાણી સત્ય છે? આપશું કહે છે? કૃપા કરીને સભાને સંશય ટાળો...”
મહામુનિએ સસ્મિત વદને કહ્યું, “જુઓ ! શાંતિથી સાંભળે ! હું આજે તમને એક કથા કહીશ.” અને મુનિએ કથાને પ્રારંભ કર્યો.
આ દ્રૌપદીને પૂર્વભવ અસંખ્ય વર્ષ પહેલાંની વાત છે. ચંપા નામની નગરીમાં તે વખતે ત્રણ બ્રાહ્મણ રહેતા હતા એમદેવ, સોમભૂતિ અને સોમદત્ત. આ ત્રણેય ભાઈઓ યૌવનવય આવતાં કમથી નાગશ્રી, ભૂતશ્રી અને યશશ્રી નામની કન્યાઓને પરણ્યા. ભાઈઓ સમજદાર હતા. લગ્ન થતાં છૂટા થઈ ગયા. ભાઈઓને આ છૂટા રહેવાનું જરાય પસંદ ન હતું. જૂદું રહેવું પડતું હોવા છતાંય તેમનું મન એક-બીજા પ્રત્યે સદાય ખેંચાયેલું રહેતું એક-બીજા વિના તેઓને ખાવાનું પણ ગળે ઊતરતું નહીં. છેવટે ત્રણેય મળીને આ નિર્ણય કર્યો કે..બધાને ઘેર વારાફરતી ત્રણે ભાઈઓએ જમવું. - “પરિવાર જુદા રહે એ એક વ્યવસ્થા હેઈ શકે છે પણ..જુદાઈ એ તે સ્વાર્થનું જ પરિણામ છે.' - એકવાર મોટા ભાઈ સોમદેવને ત્યાં બધાએ જમવાનું હતું. નાગશ્રીએ તે દિવસે બીજા પણ મહેમાનોને નેતર્યા હતા. આજે નાગશ્રીએ વિવિધ પ્રકારની ખૂબ જ સુંદર રસોઈ બનાવી હતી. તેમાંય તું બડીનું શાક તે ખૂબજ ભાવથી બનાવ્યું હતું. બહુ ઊંચા મસાલા નાખીને મહા
*
*
'
'
'