________________
[૩] લોગસ્સસૂત્રની પ્રાચીનતા અને પવિત્રતા
ગત પ્રકરણમાં સૂત્ર અંગે કેટલીક વિચારણા કરતાં - આવશ્યકસૂત્ર સુધી પહોંચ્યા અને લોગસ્સસૂત્ર તેને - એક ભાગ છે, તેનું બીજું અધ્યયન છે, એ જાણી આનં* દિત થયા. હવે તેની પ્રાચીનતા અને પવિત્રતાથી પરિચિત થઈએ, જેથી તે આપણું અંતરમાં અતિ આદરભર્યું
સ્થાન પામે. નવકારમંત્ર–નમસ્કારમંત્ર તેની પ્રાચીનતા - અને પવિત્રતાના કારણે જ આપણા અંતરમાં અતિ આદર- ભરેલું સ્થાન પામેલ છે ને ?
“લેગસસૂત્ર પ્રાચીન છે” એ સંસ્કાર આપણા માંના ઘણાનાં મનમાં પડેલો છે, પણ એમ માનવાનું કારણ શું છે? અને તે કેટલે પ્રાચીન છે તે અહીં વિચારવાનું છે.
લેગસસૂત્રને પ્રાચીન માનવાનું મુખ્ય કારણ તે - એ છે કે તે આવશ્યક સૂત્રને એક ભાગ છે કે જેની રચના ગણધર ભગવંતએ કરેલી છે. આપણી સામાન્ય માન્યતા એવી છે કે ગણધર ભગવંતે એ દ્વાદશાંગી એટલે