________________
લેગસ્સસૂત્ર દર્શનશુદ્ધિનું સાધન છે.
તાત્પર્ય કે દર્શનશુદ્ધિ-સમ્યફવની શુદ્ધિ માટે પાંચ અતિચારેથી બચવાની જરૂર છે. તે માટે લેગસસૂત્રનું સ્મરણ-ચિંતન-મનન સબલ સાધન છે.
અહીં એ પણ જણાવી દઈએ કે શ્રી ઉત્તરાધ્યયનસૂત્રના ઓગણત્રીશમા અધ્યયનમાં આ વસ્તુ સ્પષ્ટ શબ્દોમાં કહેવામાં આવી છે. ત્યાં એ પ્રશ્ન કરાયે છે કે “રવિથ સંતે ! કીરે વિંદ કરુ? હે ભગવંત! ચતુવિશતિસ્તવથી એટલે કે તેનું સ્મરણ-ચિંતન મનન કરવાથી જીવ કયે લાભ પ્રાપ્ત કરે ?” તેના ઉત્તરમાં કહેવાયું છે કે વરવીન્થ સવિલોહિં રાચ-ચતુર્વિશતિસ્તવનું સ્મરણચિંતન-મનન કરવાથી જીવ દર્શનવિશુદ્ધિને લાભ પ્રાપ્ત કરે.”
આગમકારના આ શબ્દો સાંભળ્યા પછી આપણે તે સંબંધી વિશેષ વિચારવાનું રહે છે ખરું?