________________
પ્રથમ ગાથાને અર્થ પ્રકાશ-૩
૧૬૪ પણ ટીકામાં (કડ ૧, લે. પ૮) આ રીતે આ છેઃ “નોરતે તીર્થના મિતરાવાઃ-તીર્થકર ભગવંતે સમસ્ત જગત કરતાં પણ અતિશાયી–ચઢિયાતા છે, એમ બતાવનારા ગુણેને અતિશયે કહેવામાં આવે છે.' તાત્પર્ય કે આ જગતના અન્ય કઈ મનુષ્યમાં ન હોય, એવા ૩૪ અદ્ભુત-અપ્રતિમ ગુણેથી જિન ભગવંત અલંકૃત હોય છે.
આ ૩૪ અતિશયમાંથી ૪ અતિશયે જન્મથી જ પ્રાપ્ત થાય છે, એટલે તે ચાર સહજ અતિશયે કહેવાય છે; ૧૧ અતિશયે જિન ભગવંતના ચાર ઘાતકમેને ક્ષય થતાં ઉત્પન્ન થાય છે, એટલે તેને ૧૧ કર્મક્ષયજ અતિશયે કહેવાય છે; અને ૧૯ અતિશયે ભક્તિનિમિત્તે દેવતાઓ. કરે છે, એટલે તે દેવતાકૃત અતિશયે કહેવાય છે. આ રીતે ૪+ ૧૧ + ૧૯ મળી કુલ ત્રીશ અતિશયેની ગણના. થાય છે. ચિત્રીશ અતિશનું સ્વરૂપ ટૂંકમાં આ પ્રમાણે જાણવું
૧ થી ૪-સહજ અતિશય (૧) જિન ભગવંતનું રૂપ જન્મથી જ અદ્ભુત હોય. શરીર સુગંધી તથા રગ, મેલ અને પરસેવાથી રહિત હોય.
(૨) ભગવંતને શ્વાસેવાસ કમલજે સુગંધી હોય.
(૩) ભગવંતના રક્ત અને માંસ જન્મથી જ ગાયના દૂધ જેવા વેત અને દુર્ગધથી રહિત હોય. .
(૪) ભગવંતના આહાર અને નિહારની એટલે કે ૧૧