Book Title: Logassa Mahasutra Yane Jain Dharmno Bhaktiwad
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Pragna Prakashan Mandir

View full book text
Previous | Next

Page 495
________________ ૩૮૨ લેગસ્સ મહાસૂત્ર • ભ્રષ્ટ-અપવિત્ર-અશુદ્ધ થયેલું છે. તેમાં થેડી જગા પણ પવિત્ર-શુદ્ધ-સ્વચ્છ શોધવી હેય તે ઘણું મુશ્કેલી પડે એમ છે, એટલે તેનું સર્વીશે શુદ્ધિકરણ થાય, એ જ ઈષ્ટ છે. જે લેઢાના ખીલા, કોલસા કે હાડકાવાળી જગા પર શ્રી જિનેશ્વરદેવનું આસન બિછાવી શકાય નહિ, તે જ્યાં ક્રોધ, માન, માયા, લેભ અને વિવિધ પ્રકારની વાસનાઓની ગંદકી પડેલી હોય, ત્યાં શું શ્રી જિનેશ્વરદેવને પધરાવી - શકાય ખરા ? અમે તો એમ કહીએ છીએ કે જે આપણા હૃદયમાં શ્રી જિનેશ્વરદેવનું સમવસરણ રચવું હોય તે પણ રચી શકાય, પરંતુ તે માટે શુભ મનાયેગ, શુભ વચનગ - અને શુભ કાયગરૂપી ત્રણ કટ રચવા જોઈએ, ઉલ્લાસરૂપી અશોકવૃક્ષ નિર્માણ કરવું જોઈએ, સદ્ભાવનારૂપી પુની વૃષ્ટિ કરવી જોઈએ, પરાવાણીથી 8 મંત્રને દિવ્ય ધ્વનિ કરે જોઈએ, શાંતિ–સમતારૂપ ચામર ઢળવા જોઈએ, - શુદ્ધિરૂપી સ્ફટિકનું આસન બિછાવવું જોઈએ, ભદ્રતાપી ભામંડલની રચના કરવી જોઈએ, દયારૂપ દુંદુભિને જેરશોરથી નાદ કરવો જોઈએ અને તૃષ્ણાત્યાગ, તિતિક્ષા તથા તપનું ત્રિવિધ છત્ર તૈયાર રાખવું જોઈએ. બસ, આવીઆટલી તૈયારી હોય તે આપણું હૃદયમાં શ્રી જિનેશ્વરદેવનું સમવસરણ જરૂર રચાય અને તેમના દિવ્ય દેદારનાં દર્શનને લાભ આપણને જરૂર મળે.' શ્રી જિનેશ્વરદેવને હૃદયમાં બિરાજમાન કર્યા પછી

Loading...

Page Navigation
1 ... 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546