________________
૩પ
ટીકાકારે લખ્યા મુજબ તત્તવનું એટલે કે ભોગક્રિયાના શુદ્ધ આનંદદાયી સ્વરૂપનું જે સંધેિશાદિ જન્ય ખંડન, એ કિયાની સંપૂર્ણતામાં હેતુ બની શકે. આ ન સમજવાથી પ્રોફેસરે મૂળ ગ્રંથમાં પણ હેતુદર્શક આ પદને પૂર્વથી છુટું પાડી નવા ફકરામાં મૂકવાની ભૂલ કરી ! તેમજ પૂર્વોક્ત સંપૂર્ણતાના હેતુનેય તદ્દન વિસરી જવાની ભૂલ કરી!
(૨૬) “સાંખ્યદર્શનના પ્રકૃતિ-પુરુષ મતને જૈનદર્શનના કર્મ-આત્મા મત સાથે નિકટ મેળ છે,” એવું લખનાર છે. એ ભૂલે છે કે બે વચ્ચે મહાન અંતર છે. સાંખ્ય પુરુષને કુટસ્થનિત્ય, અબદ્ધ, અયુક્ત, અજ્ઞાન, અસુખી માને છે, જૈને આત્માને પરિણામી, બદ્ધમુક્ત, અનંતજ્ઞાની, અનંત સુખી માને છે. સાંખ્ય પ્રકૃતિને જગતનું ઉપાદાન કહે છે. “પ્રકૃતિને પરિણામ એજ પંચભૂત, અને ઈન્દ્રિયો વગેરે જગત, એમ એ કહે છે. ત્યારે જેને જગતની વિવિધ રચનાઓમાં કર્મને માત્ર નિમિત કારણ માને છે. બાકી જગતનું કલેવર તે જુદાજુદા દ્રવ્યોનું બનેલું કહે છે સાંખ્યો જડ પ્રકૃતિના પરિણામમાં જ્ઞાન, ઈચ્છા, વગેરે ધર્મો માને છે, ત્યારે જૈને જડ કર્મને આવા ધર્મો નથી માનતા. સાંખ્ય સદા શુદ્ધ મુક્ત પુરુષનેય મોક્ષ પુરુષાર્થ જરૂરી માને છે. જેને બદ્ધ આત્માને જ એ જરૂરી, મુક્તને નહિ એમ કહે છે. કેવા મહાન તફાવત !
(૨૭) દિદક્ષાના પ્રસંગના સૂત્રને પ્રો. ગૂઢ અને ગુંચવણભર્યા માની એને સ્પષ્ટ ન સમજી શકે, એ તો ઠીક પણ ટીકાકાર મહર્ષિનેય પિતાની સમજણ માટે સહાય ન કરી શકવાનું, અર્થાત ન સમજી શકવાનું કહે, એ અજ્ઞાન બચ્યું બાપને અજ્ઞાન કહે, એના જેવું છે. ટીકાકારે કેવી સરસ સ્પષ્ટતા કરી છે, એ આગળ વિવેચન-ગ્રંથના પૂ૪માં જુઓ.
| (૨૮) ધન તપુડનુસ્વારને અર્થ સ્પષ્ટ છે. સંસાર સત્ છે. એને સર્વથા ઉચ્છેદ એ થઈ શકે, તે તદન અસત્ સંસારની ઉત્પત્તિય ન થઈ શકે એવું નહિ, અર્થાત થઈ શકે. એ સતને સર્વથા વિનાશ