Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૪
જગતના ઇતિહાસનુ` રેખાદર્શીન
અથવ
ભિન્ન ભિન્ન પ્રકારનાં ઉછેર, કેળવણી અથવા તે કેળવણીના અભાવને આભારી હાય એ બિલકુલ સંભવિત છે. સરખી શક્તિના બે છેાકરા કરીએમાંથી એકને સારી કેળવણી આપે અને બીજીને કેળવણી ન આપે તો થોડાં વરસ પછી તેમની વચ્ચે ભારે તફાવત માલૂમ પડશે. અથવા તે એકને સારા પોષક ખોરાક આપે અને બીજાને ખરાબ અને ઓછો ખોરાક આપે તે પહેલાના વિકાસ બરાબર થશે જ્યારે બીજો કમજોર અને બીમાર થશે તથા તેના શરીરને બરાબર વિકાસ નહિ થાય. આમ તેની ઉછેર, તેની આસપાસની પરિસ્થિતિ, તેની કેળવણી તથા તેના ભણતરથી માણસમાં ઘણા ફેર પડી જાય છે. અને જો આપણે સાને એકસરખી કેળવણી તથા તકા આપી શકીએ તો સંભવ છે કે આજ છે તેના કરતાં અસમાનતાઓ બહુ ઓછી થઈ જાય. સાચે જ એ વસ્તુ બિલકુલ સંભવિત છે. પરંતુ લેાકશાહીને લાગેવળગે છે ત્યાં સુધી માણસે અસમાન છે એ હકીકત વસ્તુતાએ તે કબૂલ રાખતી હતી. આમ છતાંયે તેનું એમ કહેવું હતું કે રાજકીય તેમ જ સામાજિક દૃષ્ટિએ પ્રત્યેક મનુષ્ય પ્રત્યે એક સરખા વર્તાવ રાખવા જોઈ એ. જો આપણે લોકશાહીના આ સિદ્ધાંતને સંપૂર્ણ પણે માન્ય રાખીએ તે પછી આપણે અનેક પ્રકારના ક્રાંતિકારી નિર્ણયો ઉપર આવવું પડે છે. આ ઘડીએ આપણે એ બધાની ચર્ચામાં ન ઊતરીએ પરંતુ એ સિદ્ધાંતમાંથી દેખીતી રીતે જ એક વસ્તુ એ ફલિત થતી હતી કે પોતાના દેશની પાર્ટીમેન્ટ કે ધારાસભામાં પોતાના પ્રતિનિધિ મોકલવા માટે પ્રત્યેક માણસને મત આપવાના હક હાવા જોઈએ. મત એ રાજકીય સત્તાના પ્રતીક સમાન હતા અને એમ માનવામાં આવતું હતું કે પ્રત્યેક માણસને જો મતનો હક મળે તો એવા દરેક માણસને સમાન રાજકીય સત્તા પ્રાપ્ત થાય. એથી કરીને, આખી ૧૯મી સદી દરમ્યાન મતાધિકાર એટલે કે મત આપવાના હકના વિસ્તાર એ લેાકશાસનવાદીઓની પ્રધાન માગણી રહી હતી. પુખ્ત મતાધિકારને અ એ હતે કે પુખ્ત વયની પ્રત્યેક વ્યક્તિને મત આપવાના હક મળવા જોઈએ. લાંબા વખત સુધી સ્ત્રીઓને મતાધિકાર આપવામાં આવ્યા નહાતા અને થોડા જ વખત ઉપર તેમણે ખાસ કરીને ઇંગ્લેંડમાં એને માટે ભારે ચળવળ ઉપાડી હતી. ઘણાખરા આગળ વધેલા દેશામાં પુખ્ત વયનાં સ્ત્રીપુરુષને આજે મતાધિકાર આપવામાં આવ્યો છે.
· પણ અજાયબીની વાત તેા એ છે કે, મોટા ભાગના લકાને મતાધિકાર પ્રાપ્ત થયા ત્યારે તેમને સમજાયું કે એથી કરીને તેમની સ્થિતિમાં ઝાઝો ફેર ન પડ્યો. મત આપવાના હક મળ્યા છતાં રાજ્યમાં તેમની કશી જ સત્તા નહાતી અથવા જે કઈ સત્તા હતી તે નહિ જેવી જ હતી. ભૂખ્યા માણસને મતના ઝાંઝો ઉપયોગ નથી હાતા, તેની ભૂખને જેએ લાભ ઉઠાવી શકે અને