Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
નાણાંના વિચિત્ર વ્યવહાર
૧૨૪૩
મુશ્કેલી ભરેલી સ્થિતિને લીધે બધે વિશ્વાસ ડગી ગયા હતા. આજની દુનિયા પરસ્પરાવલખી છે, તેના દરેક ભાગ ખીજા સાથે નિકટપણે સંકળાયેલા છે અને તેમાં હમેશાં અનેક આંતરરાષ્ટ્રીય પ્રવૃત્તિ ચાલતી હૈાય છે. એને અ એ થયા કે એક દેરાની મુશ્કેલીઓની અસર તત્કાળ બીજા દેશ ઉપર થવા પામે છે. જર્મન માર્કના ભાવ ગગડી જાય અથવા કાઈ જમન બેંક તૂટે તે પૅરિસ અને લંડનના લાંકે અનેક રીતે મુશ્કેલીમાં આવી પડે.
આ અને જેની માથાકૂટમાં તને નથી ઉતારવા માગતા એવાં ખીજા કારણોને લીધે લગભગ બધા જ દેશોમાં ચલણુ અથવા નાણાંને અંગેની મુશ્કેલીઓ ઊભી થવા પામી. અને દેશ ઉદ્યોગાની બાબતમાં જેટલા વધારે આગળ વધેલેા હતો તેટલા પ્રમાણમાં ઘણે ભાગે તે વધારે મુશ્કેલીમાં આવી પડ્યો. કેમ કે ઔદ્યોગિક પ્રગતિ એટલે કે, અતિશય અટપટા અને ગૂંચવણભર્યાં તથા નાજુક આંતરરાષ્ટ્રીય વ્યવહારો: એ દેખીતું છે કે, માર્ક કે પાઉંડની કિ ંમતમાં ફેરફાર થાય તેની તિબેટ જેવા પછાત અને દુનિયાના વહેવારોથી અળગા રહેલા દેશ ઉપર અસર ન થાય. પરંતુ ડૉલરના ભાવ ગગડી જતાં વેંત કદાચ જાપાનમાં ભારે ઉથલપાથલ થઈ જાય.
આ ઉપરાંત, દરેક ઔદ્યોગિક દેશમાં જુદા જુદા વર્ગોનાં હિતા ભિન્ન ભિન્ન હોય છે. આ રીતે કેટલાક લોકેા હલકુ અથવા સસ્તું નાણું અને ચલણનો ફુલાવા માગતા હતા. (બેશક, જર્મનીમાં થવા પામ્યા હતા તેવા ફુલાવા તે નહાતા માગતા. ) જ્યારે બીજા કેટલાક એથી ઊલટી જ વસ્તુ માગતા હતા. તેમને ચલણુની તંગી એટલે કે સોનાને ધોરણે મેધાં અથવા ભારે મૂલ્યવાળાં નાણાં જોઈતાં હતાં. દાખલા તરીકે, લેણદારો અને શરાફે એવાં સાનાને ધારણે મેઘાં અથવા ભારે મૂલ્યવાળાં નાણાંની તરફેણ કરતા હતા કેમ કે તે લેણદાર હતા અને ખીજા પાસે નાણાં માગતા હતા અને દેવાદારો પોતાનું દેવું ભરપાઈ કરવાને માટે સ્વાભાવિક રીતે જ સસ્તું અથવા હલકું નાણું ઇચ્છતા હતા. ઉદ્યોગપતિ અને પાકા માલ ઉત્પન્ન કરનારા સસ્તા નાણાંની તરફેણમાં હતા કેમ કે સામાન્ય રીતે તે શરાફેાના દેણુદાર હતા. પરંતુ સસ્તાં નાણાં માટેની તેમની માગણી માટેનું એથીયે વિશેષ મહત્ત્વનું કારણ તો એ હતું કે એને લીધે પરદેશામાં તેમના માલના વેચાણને ઉત્તેજન મળતું હતું. બ્રિટિશ નાણું સસ્તું હોય એના અથ એ થયા કે, જર્મન અને અમેરિકન અથવા ખીન્ન કાઈ દેશના માલને મુકાબલે પરદેશનાં બજારોમાં બ્રિટિશ માલ સસ્તા પડે અને એને પરિણામે બ્રિટિશ ઉદ્યોગપતિઓને ફાયદો થાય તથા તેમને માલ વધુ પ્રમાણમાં વેચાય. આ ઉપરથી તું જોઈ શકશે કે જુદા જુદા વગે↑ ભિન્ન ભિન્ન દિશામાં ખેંચતાણુ કરતા હતા. તેમાં મુખ્ય ગજગ્રાહ ઉદ્યોગપતિ અને શરાફે। વચ્ચે ચાલતા હતા. આ વસ્તુ હું બની શકે એટલી સાદી અને સરળ