Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૧૪૪૦
જગતના ઇતિહાસનું રેખાદર્શીન
છે કેમકે એને પરિણામે અનેક પાંચાતા ઊભી થાય છે અને સામાન્ય ચૂંટણી પણ કરવી પડે છે. આથી, આમની સભામાં સરકારની બહુમતી હોય તો લગભગ પોતાની મરજીમાં આવે તે બધું તે કરી શકે છે અને આમની સભાની તેમાં સંમતિ લઈ ને તે એ મુજબને કાયદો પણ કરી શકે છે. આ રીતે સત્તા પામેન્ટ અથવા ધારાસભામાંથી પ્રધાનમંડળના હાથમાં ગઈ છે અને હજી પણ જતી જાય છે.
વળી, આજકાલ પાર્લમેન્ટને ઘણું કામ કરવાનું હોય છે; તેની સમક્ષ અનેક ગૂંચવણભર્યાં પ્રશ્ના ઊભા થાય છે. આથી હવે એવા રિવાજ પડી ગયા છે કે, પાર્લમેન્ટ તો કેાઈ પગલું કે કાયદાના સામાન્ય સિદ્ધાંતા જ માત્ર નક્કી કરે છે અને એની વિગતો નક્કી કરવાનું કારાબારી સરકાર અથવા તેના કાઈ એક ખાતા ઉપર છેડવામાં આવે છે. આ રીતે કારોબારીના હાથમાં જબરદસ્ત સત્તા આવી ગઈ છે અને કટોકટીભરી પરિસ્થિતિ વખતે તે ચાહે તે કરી શકે છે. આમ રાજ્યની મહત્ત્વની પ્રવૃત્તિઓથી પાર્લમેન્ટના સપ ઉત્તરોત્તર ઘટતા જાય છે. આજે તેનું મુખ્ય કાર્ય માત્ર સરકારનાં પગલાંઓની ટીકા કરવાનું, પ્રશ્ન પૂછવાનું તથા બીજી પૂછપરછ કરવાનું અને છેવટે સરકારની સામાન્ય નીતિને મંજૂર કરવાનું જ માત્ર રહ્યું છે. હૅરેલ્ડ જે. લાસ્ટી કહે છે કે, ‘આપણી સરકાર કારોબારીની સરમુખત્યારશાહી બની ગઈ છે; માત્ર પાર્લમેન્ટના બળવાની તેને કંઈક દહેશત હોય છે. '
૧૯૩૧ના ઑગસ્ટ માસમાં મજૂર સરકારનું એકાએક પતન બહુ જ વિચિત્ર રીતે થયું હતું. એ વસ્તુ ઉપરથી જણાય છે કે એ બાબતમાં પામેન્ટનું કેટલું આખું ચલણ છે. સામાન્ય રીતે ઇંગ્લંડમાં આમની સભામાં તેને હાર મળવાથી સરકારનું પતન થાય છે. ૧૯૩૧ની સાલમાં કશીયે વસ્તુ આમની સભા આગળ નહોતી આવી. શું ચાલી રહ્યુ છે એની કાઈ તે પણ ખબર નહોતી, પ્રધાન મંડળના ઘણાખરા સભ્યોને સુધ્ધાં કશીયે ખબર નહોતી. વડા પ્રધાન રસ્સે મૅકડોનાલ્ડે ખીજા પક્ષાના આગેવાના જોડે ગુપ્ત મંત્રણા કરી, તે રાજાને મળ્યા અને જૂનું પ્રધાનમડળ એકાએક અદૃશ્ય થઈ ગયું અને તેને બદલે છાપાંઓમાં નવા પ્રધાનમંડળની જાહેરાત કરવામાં આવી ! જૂના પ્રધાનમ`ડળના કેટલાક સભ્યાએ તો આ બધું . આ છાપાંમાંથી જ પહેલવહેલીવાર જાણ્યું. આ અસાધારણ અને લોકશાહીવિરોધી કાર્યપ્રણાલી હતી અને છેવટે આમની સભાએ એ વસ્તુને મજૂર રાખી એથી કઈ એ હકીકતમાં કશે તફાવત પડતો નથી. એ સરમુખત્યારશાહીની પદ્ધતિ હતી.
'
આ રીતે મજૂર સરકારને સ્થાને એક રાતમાં ‘ રાષ્ટ્રીય સરકાર ’ આવી. એમાં કન્ઝરવેટીવ પક્ષનું પ્રભુત્વ હતું અને તેમાં ભળેલા ગણ્યાગાંઠવા લિબરલા