Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૧૪૦૦
જગતના ઇતિહાસનું રેખાદર્શન ક્રાંતિએ પ્રવર્તાવેલા વિચારોને તેણે લાભ ઉઠાવ્યું નહિ. કાંસ તે ક્યાલ વ્યવસ્થામાંથી મુક્ત થઈ ગયું અને પિતાની જમીનની વ્યવસ્થા તેણે સંપૂર્ણપણે બદલી નાખી, પરંતુ સ્પેન તે અર્ધ-ફક્યૂડલ અવસ્થામાં જ રહ્યું. ત્યાં તે હજીયે પુષ્કળ જમીન ધરાવનાર તથા અનેક પ્રકારના વિશિષ્ટ અધિકારે ભેગવતા અમીર ઉમરા કાયમ રહ્યા હતા. ત્યાં આગળ રેમન ચર્ચાનું કેવળ ધર્મની બાબતમાં જ નહિ પણ જમીન, વેપારજગાર તેમ જ કેળવણીની બાબતમાં પણ પ્રભુત્વ હતું. ચર્ચ સૌથી મોટો જમીનદાર હતું તેમ જ તે બહોળા પ્રમાણમાં વેપાર ચલાવતું હતું. કેળવણી તે સંપૂર્ણપણે તેના કાબૂ નીચે હતી. . લશ્કરી અમલદારેની તે વિશિષ્ટ અધિકારે ભગવતી એક વાત જ ત્યાં હતી.. અમલદારનું પ્રમાણ સામાન્ય સૈનિકને મુકાબલે ત્યાં ઘણું જ મેટું હતું. એ પ્રમાણુ એક અને સાતનું હતું. બુદ્ધિજીવી વર્ગોમાં ત્યાં આગળ કેટલાક પ્રગતિવાદીઓ અને ઉદારમતવાદીઓ (લિબરલ) હતા. મજૂર ચળવળ ત્યાં વિસતી જતી હતી પણ સંઘવાદીઓ, સમાજવાદીઓ તથા અરાજકવાદીઓમાં
તેના ભાગલા પડી ગયા હતા. પણ સાચી સત્તા તે ચર્ચ, લશ્કર અને ઉમરાના હાથમાં હતી. ઉત્તરના કૅટેલેનિયા અને બેસ્ક પ્રદેશોમાં સ્વયંશાસન માટેની ચળવળ પ્રબળ હતી.
સ્પેન અને પિટુંગાલની સરકારે કશી સત્તા વિનાની ધારાસભાઓવાળી વત્તેઓછે અંશે આપખુદ રાજાશાહી હતી. સ્પેનમાં એવી ધારાસભા “કેટેડ' નામથી ઓળખાતી હતી. ૧૯મી સદીના સાતમા દશકાના આરંભમાં સ્પેનમાં થોડા સમય માટે પ્રજાસત્તાક સ્થપાયું હતું. પરંતુ તે સફળ ન થયું અને પિતાની બધી આપખુદ સત્તા સહિત રાજા ત્યાં પાછો આવ્યો. ૧૮૯૮ના યુનાઈટેડ સ્ટેટ્સ સાથેના તેના યુદ્ધમાં પેનને પિતાની છેલ્લી વસાહતે ગુમાવવી પડી. તેની નજીક આવેલા મેરેક્ટોને થોડે ભાગ જ હવે તેની પાસે વસાહતી પ્રદેશ તરીકે બાકી રહ્યો હતે.
ગોવા જેવા હિંદમાંના પેર્ટુગાલના તાબા નીચેના ભેડા પ્રદેશ ઉપરાંત આફ્રિકામાં તેની પાસે હજીયે મોટી મોટી વસાહત છે. ૧૯૧૦ની સાલમાં ત્યાંના રાજાને પદભ્રષ્ટ કરીને પિટુંગાલમાં પ્રજાસત્તાકની જાહેરાત કરવામાં આવી હતી. ત્યાં આગળ અનેક વાર કાંતિઓ થઈ છે અને કેટલીક વાર રાજાના પક્ષકારોએ રાજાને ફરી પાછો લાવવાના પ્રયાસ કર્યા છે તથા ઉદ્દામ વલણ ધરાવનારાઓએ સરમુખત્યારો અને પ્રત્યાઘાતી સરકારોને દૂર કરવા પ્રયત્ન કર્યો છે. પરંતુ એક યા બીજે રૂપે ત્યાં આગળ પ્રજાસત્તાક કાયમ રહ્યું છે અને સામાન્ય રીતે તેમાં લશ્કરી ટેળકીનું પ્રભુત્વ રહ્યું છે. મહાયુદ્ધમાં તે મિત્રરાજ્યને પક્ષે રહ્યું હતું. એને લીધે તેને એટલું બધું દેવું થઈ ગયું હતું કે તે લગભગ નાદાર થઈ જવાની સ્થિતિમાં આવી ગયું હતું. હાલની ત્યાંની સરકાર