Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૧૨૫૪
જગતના ઇતિહાસનુ” રેખાદર્શીન
સ્વતંત્રતા માટે પ્રબળ ચળવળ ચાલે છે અને સળિયાની સરકાર તેને દાર્ભી દેવાને મજબૂત હાથે પ્રયત્ન કરી રહી છે. નકશા ઉપર જોતાં જણાશે કે પોલેંડ એ ઠીક ઠીક માટે દેશ છે પરંતુ તેના સામ્રાજ્યવાદી કાળા સમુદ્ર સુધી વધવાનાં, અને એ રીતે પોલેંડની તેની પ્રાચીન સરહદ એટલે કે ૧૭૭૨ની સાલમાં તેની જે સરહદ હતી તે પ્રાપ્ત કરવાનાં સ્વપ્નાંમાં રાચે છે. વળી, પોલેંડમાં રશિયન યુક્રેનના થાડા ભાગને પણ સમાવેશ થાય છે. અને અતિશય દમન, અત્યાચારી, માતની શિક્ષા તથા હેવાનિયતભરી ખીજી અનેક સજા દ્વારા ત્રાસ વર્તાવીને તેને ‘શાંત કરવાના' તથા એ પ્રદેશમાં પણ પોલેંડની સંસ્કૃતિ પરાણે ફેલાવવાના પ્રયાસેા કરવામાં આવ્યા હતા અને હજી તે ચાલુ જ છે. પૂર્વ યુરેાપમાં ધૂંધવાઈ રહેલાં આ કેટલાંક નાનાં નાનાં તાપણાં છે. પરંતુ એમાંથી પ્રચંડ દાવાનળ ભભૂકી ઊઠે એવા જોખમમાં એમનું મહત્ત્વ રહેલું હતું.
રાજકીય તેમ જ લશ્કરી દૃષ્ટિએ પણ મહાયુદ્ધ પછીનાં વરસામાં ક્રાંસનું યુરોપ ઉપર પ્રભુત્વ હતું. પ્રદેશના રૂપમાં તેને જે જોઈતું હતું તેમાંનું ધણુંખરું તેને મળી ગયું હતું અને કઈ નહિ તેા, યુદ્ધની નુકસાની પેટે મેટી રકમ મળવાનું વચન પણ મળ્યું હતું. પરંતુ એ બધાથી તે સુખી નહતું. એક મહાભય — જર્મની ફરી પાછું તેની સામે હથિયાર ઉગામવા જેટલું મળવાન ની જાય અને કદાચ તેને હરાવે, એવા ભય તેને નિર ંતર રહ્યા કરતા હતા. એ ભયનું મુખ્ય કારણ જ`નીની તેના કરતાં ઘણી વધારે વસતી હતું. જર્મની કરતાં ફ્રાંસનું ક્ષેત્રફળ વધારે છે અને કદાચ તે તેના કરતાં વધારે ફળદ્રુપ પણ હશે. આમ છતાં પણ ફ્રાંસની વસ્તી ૪૧,૦૦૦,૦૦૦ છે અને તે લગભગ સ્થાયી છે. જ્યારે જર્મનીની વસ્તી ૬૨,૦૦૦,૦૦૦ કરતાંયે વધારે છે અને તે ઉત્તરાત્તર વધતી જાય છે. વળી જા હુમલાખાર અને લડાયક પ્રજા તરીકે નામીચા હતા અને એક જ પેઢી દરમ્યાન તેમણે બે વખત ફ્રાંસ ઉપર ચડાઈ કરી હતી.
જર્મની વેર લેશે એવા ભય ફ્રાંસને નિરંતર અકળાવતા રહેતા હતા અને ‘ સલામતી ', એટલે કે તેને જે મળ્યું હતું તે ટકાવી રાખવા માટે ફ્રાંસની સલામતી એ જ તેની નીતિના પાયા અને પ્રધાન સિદ્ધાંત હતા. વર્સોની સંધિથી નિરાશ થયેલા બધા દેશને ફ્રાંસની લશ્કરી સરસાઈ એ અંકુશમાં રાખ્યા, કેમ કે એ સુલેહ ટકાવી રાખવી એ ફ્રાંસની સલામતી માટે જરૂરી ગણવામાં આવતું હતું. પોતાની સ્થિતિ વિશેષ મજબૂત કરવાને માટે, એ ઉપરાંત, ફ્રાંસે વર્સાઈની સધિ ટકાવી રાખવામાં જેમનું હિત સમાયેલું હતું તેવાં રાષ્ટ્રોના એક સમૂહ ઊભા કર્યાં. બેલ્જિયમ, પોલૅંડ, ચેકરલેવાકિયા, રુમાનિયા અને યુગેસ્લાવિયા એ એવા દેશો હતા.