Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૧૨૭ર
જગતના ઈતિહાસનું રેખાદર્શન પક્ષની પ્રધાન કાર્યવાહક સમિતિ)ની આણ વર્તતી હતી અને ફાસિસ્ટ ગ્રાંડ કાઉન્સિલ ઉપર મુસોલિનીને દોર ચાલતું હતું.
પરદેશ સાથેના સંબંધોને અંગેનાં મુસોલિનીનાં આરંભનાં ભાષણેએ યુરોપમાં ભારે આશ્ચર્ય ફેલાવ્યું અને ખળભળાટ મચાવી મૂક્યો. એ અસાધારણ ભાષણે હતાં. તે ભારે બડાઈખોર અને ધમકીથી ભરેલાં હતાં. રાજદ્વારી પુરુષનાં મુત્સદ્દીગીરીથી ભરેલાં ભાષણે કરતાં તે બિલકુલ જુદી જ જાતનાં હતાં. જાણે લડવાને માટે હમેશાં તે કૂદી રહ્યો હોય એમ લાગતું હતું. ઈટાલીના સામ્રાજ્યવાદી ભાવીની તેમ જ ઇટાલીનાં અસંખ્ય એરપ્લેનથી આકાશને છાઈ દેવાની વાતે તે કરવા લાગે તથા પિતાના પાડેશી ક્રાંસને તેણે અનેક વખતે છડેચક ધમકીઓ આપી હતી. બેશક, ક્રાંસ ઈટાલી કરતાં ઘણું વધારે બળવાન હતું પરંતુ લડવાની કેઈની દાનત નહોતી એટલે તે જે કંઈ બોલતે તે સાંખી લેવામાં આવતું. એટલી કે તેનું સભ્ય હતું છતાંયે પ્રજાસંધ તેના કટાક્ષ અને તિરસ્કારનો ખાસ શિકાર બની ગયું અને એક પ્રસંગે તે તેણે બહુ જ બૂરી રીતે તેનું અપમાન કર્યું હતું, અને આમ છતાંયે પ્રજાસંઘે તથા બીજી સત્તાએ આ બધું સાંખી લીધું.
ઈટાલીમાં ઉપર ઉપરથી ઘણું ફેરફાર થયા અને સર્વત્ર નજરે પડતી વ્યવસ્થા અને નિયમિતતાના દેખાવથી પ્રવાસીના મન ઉપર સારી છાપ પડે છે. સામ્રાજ્યનું પાટનગર સુશોભિત બનાવાઈ રહ્યું છે અને સુધારાની મોટી મેટી જનાઓને અમલ શરૂ થઈ ચૂક્યો છે. મુસોલિનીના મનમાં નવા રોમન સામ્રાજ્યના અનેક તરંગે ઊઠી રહ્યા છે.
૧૯ર૯ની સાલમાં, પિપના પ્રતિનિધિ તથા મુસોલિની વચ્ચે થયેલી સમજૂતીને પરિણામે ઇટાલીની સરકાર અને પિપ વચ્ચેની પુરાણી તકરારનો અંત આવ્યો. ૧૮૭૧ની સાલમાં ઇટાલીના રાજ્ય રોમને પાટનગર બનાવ્યું ત્યારથી પપે તેને માન્ય રાખવાની કે રેમ ઉપરની પિતાની સર્વોપરી સત્તાનો દા જ કરવાની સાફ ના પાડી હતી. આથી દરેક પો૫, તેની ચૂંટણી થાય કે તરત જ રોમમાં આવેલા તેના વેટીકનના જબરદસ્ત મહેલમાં – જેમાં સેન્ટ પીટર્સના દેવળને પણ સમાવેશ થાય છે – ચાલ્યું જ અને પછી તે તેની બહાર ઇટાલીના પ્રદેશમાં પગ સરખો પણ મૂકતે નહિ. એ રીતે એ વખતથી બધાયે પિપ સ્વેચ્છાપૂર્વક કેદી બની જતા હતા. ૧૯૨૯ની આ સમજૂતીથી રેમમાંના વેટીકનના આ નાનકડા પ્રદેશને રવતંત્ર અને સ્વાયત્ત રાજ્ય તરીકે સ્વીકારવામાં આવ્યું. પિપ એ રાજ્યને સર્વ સત્તાધારી રાજકર્તા છે અને એ રાજ્યના નાગરિકની કુલ સંખ્યા ૫૦૦ છે! એ રાજ્યને પિતાની અદાલતે છે, પોતાના સિક્કાઓ છે. પિતાની પિસ્ટની ટિકિટ છે, રાજ્યવહીવટને અંગેના નેકરવર્ગ છે તેમ જ દુનિયામાં સૌથી