Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૧૧૩૪
જગતના ઈતિહાસનું રેખાદર્શન મહાસભાવાદીઓ ધારાસભાઓમાં દાખલ થયા અને ત્યાં આગળ તેમણે કડક અને જુસ્સાદાર ભાષણો કર્યા તથા ખરચ માટે નાણું મંજૂર કરવાની ના પાડી. પરંતુ તેમના ઠરા તથા મતોની સરકાર ઉપેક્ષા કરતી હતી. અને ધારાસભાએ ઉડાવી દીધેલા અંદાજપત્રને વાઇસરૉય સર્ટિફાઈ કરતો એટલે કે તેને મળેલી સત્તાની રૂએ તે એ અંદાજપત્રને વાજબી ઠરાવતે. મહાસભાવાદીઓની ધારાસભાઓમાંની આ પ્રવૃત્તિઓ પ્રચારની દષ્ટિએ થેંડા વખત માટે ઠીક હતી પરંતુ એને લીધે ચળવળનું ધોરણ નીચું પડયું. એને પરિણામે જનતા સાથે સંપર્ક તૂટી ગયો અને પ્રત્યાઘાતીઓ સાથે અઘટિત બાંધછોડ કરવી પડી.
આ ૧૯૨૦-૩૦ના ગાળામાં હિંદને હચમચાવી મૂકનારાં ભિન્ન ભિન્ન બળ તથા ચળવળ સમજવાને આપણે પ્રયત્ન કરીશું. સૌથી પ્રધાન સવાલ હિંદુ-મુસ્લિમ ઐક્યને હતે. એ બંને કોમ વચ્ચે ઘર્ષણ વધતું જતું હતું અને મસ્જિદો આગળ વાજાં વગાડવા જેવી નજીવી બાબતે ઉપર ઉત્તર હિંદમાં અનેક ઠેકાણે હુલ્લડો થવા પામ્યાં હતાં. અસહકારના દિવસના અપૂર્વ શક્ય પછી થયેલે આ અણધાર્યો અને વિચિત્ર પ્રકારને ફેરફાર હતે. આ ફેરફાર સાથી થવા પામે અને પેલી એકતાના મૂળમાં શી વસ્તુ રહેલી હતી?
રાષ્ટ્રીય ચળવળના મૂળમાં પ્રધાનપણે આર્થિક હાડમારી અને બેકારી રહેલાં હતાં. એને પરિણામે બ્રિટિશ સરકાર સામેના વિરોધની સર્વસાધારણ લાગણી બધાયે સમૂહમાં પેદા થઈ તથા સ્વરાજ અથવા સ્વતંત્રતા માટેની કંઈક અસ્પષ્ટ કામના પણ જાગ્રત થઈ. આ વિરોધની લાગણી બધાને એકત્ર કરનારી સામાન્ય કરી હતી પરંતુ ભિન્ન ભિન્ન સમૂહોના આશયે જુદા જુદા , હતા. એ દરેક સમૂહ સ્વરાજ્યને જુદે જુદે અર્થ કરતે હતે. બેકાર મધ્યમ વર્ગ સ્વરાજ્યમાં નોકરી તથા ધંધેરોજગાર મેળવવાની આશા સેવતે હતે, ખેડૂતે જમીનદારે તેના ઉપર લાદેલા બેજામાંથી રાહત મેળવવા ચહાતે હતું અને એ રીતે સૌ પોતપોતાના હિતને વિચાર કરતા હતા. ધાર્મિક સમૂહાની દૃષ્ટિથી એ પ્રશ્ન તરફ નજર કરીએ તે એક સમૂહ તરીકે મુસલમાનો એમાં 'ખિલાફતને કારણે જોડાયા હતા. આ શુદ્ધ ધાર્મિક સવાલ હતો અને તે કેવળ મુસલમાનોને જ સ્પર્શતે હતે. બિન-મુસલમાનોને તેની સાથે કશી લેવાદેવા નહતી. પરંતુ ગાંધીજીએ એ પ્રશ્નને અપનાવી લીધો અને તેમણે બીજાઓને પણ તેમ કરવા જણાવ્યું. ગાંધીજીને લાગ્યું કે દુઃખમાં આવી પડેલા ભાઈને મદદ કરવાની આપણી ફરજ છે. એ દ્વારા હિંદુ તથા મુસલમાનોને એકબીજાની વધુ સમીપ લાવવાની આશા પણ તે સેવતા હતા. આમ મુસલમાનોની સામાન્ય દૃષ્ટિ મુસ્લિમ રાષ્ટ્રવાદની અથવા કહે કે મુસ્લિમ આંતરરાષ્ટ્રીયવાદની હતી, નહિ કે સાચા રાષ્ટ્રવાદની. હા, એટલું ખરું કે સાચા રાષ્ટ્રવાદ અને મુસ્લિમ રાષ્ટ્રવાદ વચ્ચેને વિરોધ તે વખતે સ્પષ્ટ નહેતે થયે.