Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
જૂનાં દેવાં પતાવવાની નવી રીત
૧૨૩૫
અશે તેણે તેની એ મુરાદ પાર પાડી પણ ખરી. કેમ કે, સરકાર, મ્યુનિસિ પાલિટીઓ તથા ખીજા દેવાદારોએ જમનીમાંનું પેાતાનું સધળુ આંતરિક દેવું કશીયે કિંમત વિનાના કાગળના માર્ક વડે સહેલાઈથી ભરપાઈ કરી દીધું. ખેશક, પરદેશામાંનું તેમનું દેવું તે એ રીતે ભરપાઈ ન કરી શક્યા કેમ કે ત્યાં આગળ કાઈ પણ તેમનું કળળનું નાણું સ્વીકારે એમ નહોતું. જર્મનીમાં તા કાયદા દ્વારા તેમણે તેને સ્વીકાર કરાવ્યા. આ રીતે સરકાર તથા પ્રત્યેક દેવાદાર દેવાના દુ:ખદાયી ખેાજામાંથી છૂટયો. પરંતુ ભારે વિટંબણા વેઠીને તેમણે એ કર્યું. ચલણી નાણાના ફુલાવાના આ કાળ દરમ્યાન સૌ કાઈને ભારે વિટંબણા વેઠવી પડી. પરંતુ તેમાં મધ્યમવર્ગને સૌથી વધારે સેસવું પડયુ કેમ કે એ વના ધણાખરા લોકાને નિશ્ચિત પગાર મળતા હતા અથવા તે એવી ખીજી નિશ્ચિત આવક થતી હતી. અલબત, માર્કની કિંમત ઘટતાં તેમના પગારમાં વધારો થયા એ ખરું પરંતુ માર્કની કિંમત ઓસરતી ગઈ તેટલા પ્રમાણમાં એમાં વધારે ન થયા. ચલણી નાણાંની આ કૃત્રિમ વૃદ્ધિથી અથવા તેના ફુલાવાથી નીચલા થરના મધ્યમ વર્ગનું તે લગભગ સત્યાનાશ વળી ગયું અને એ પછીનાં વરસામાં જર્મનીમાં જે અસાધારણ બનાવા બન્યા તેનું અવલોકન કરતી વખતે આપણે એ હકીકત યાદ રાખવી જોઇ એ. કેમ કે વર્ષોંચ્યુત થયેલા આ અસંતુષ્ટ મધ્યમ વર્ગના લોકોનું ક્રાંતિની સંભાવનાથી ભરેલું એક બળવાન સૈન્ય બની ગયું. મુખ્ય મુખ્ય પક્ષાની આસપાસ ઊભાં થતાં જતાં ખાનગી સૈન્યામાં એ લાકા ધીમે ધીમે ભળવા લાગ્યા અને તેમનામાંના મોટા ભાગના લોકો નવા ઊભા થયેલા હિટલરના રાષ્ટ્રીય સમાજવાદી અથવા તેા નાઝી પક્ષમાં ભળ્યા.
જૂના માર્ક કાઈ પણ હેતુ પાર પાડવા માટે નકામા બની ગયા ત્યારે તેને રદ કરવામાં આવ્યા અને રેન્ટેન માર્ક' નામની નવી નોટોનું ચલણ શરૂ કરવામાં આવ્યું. ચલણુની કૃત્રિમ વૃદ્ધિ એમાં નહાતી અને તેનું મૂલ્ય તેટલી કિંમતના સોના જેટલુ હતું. આમ, નીચલા થરના મધ્યમ વર્ગનું કાસળ કાઢયા પછી જર્મનીએ ફરી પાછુ પોતાનું ચલણી નાણું સ્થિર કર્યું.
જર્મનીની આર્થિક મુશ્કેલીને કારણે મહત્ત્વનાં આંતરરાષ્ટ્રીય પરિણામે આવ્યાં. મિત્રરાજ્યાને નુકસાની પેટે ભરવાની રકમના વાયદે જની ચૂકી ગયું હતું. નુકસાની પેટે વસૂલ લેવાની એ લેણી રકમ મિત્રરાજ્યે એ વહેંચી લીધી હતી અને તેમાં સૌથી મોટા હિસ્સા ફ્રાન્સને ભાગ જતા હતા. રશિયા તેમાંથી કશે। ભાગ લેતું ન હતું; વાસ્તવમાં તેણે પોતાના બધા . દાવા જતા કર્યાં હતા. જમની પોતાને વાયદો અદા ન કરી શકયુ' એટલે ફ્રાંસ તથા ખેલ્જિયમે લશ્કર મેાકલીને જમનીના રર પ્રદેશને કબજો લીધે. વર્સોની સધિ પ્રમાણે રાઈનના પ્રદેશ તે મિત્રરાજ્યાના કજા નીચે હતા જ.