Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૧૨૩ર
જગતના ઇતિહાસનું રેખાદર્શન આ પત્રમાં હું ઉપર જણાવી ગયો તેને સાર એ છે કે, મહાયુદ્ધ પછીનાં આ વરસ દરમ્યાન યુરોપમાં સામાજિક ક્રાંતિ થવાની તૈયારીમાં છે એમ લાગતું હતું. આ વસ્તુસ્થિતિ સેવિયેટ રશિયાને મદદરૂપ નીવડી કારણ કે પિતાને ત્યાંના મજૂરવર્ગ ઉપર એની બૂરી અસર થશે એ ડરથી કોઈ પણ મોટી સામ્રાજ્યવાદી સત્તા તેના ઉપર મન મૂકીને હુમલે કરી શકી નહિ. પરંતુ નાનાં નાનાં બંડે થયાં અને તેમને દાબી દેવામાં આવ્યાં તે બાદ કરતાં યુરોપમાં બીજે ક્યાંયે ક્રાંતિ થવા ન પામી. એવા પ્રકારની સામાજિક ક્રાંતિના સિદ્ધાંત ઉપર તેમના પક્ષનું આખું મંડાણ હતું તે છતાં પણ એ ક્રાંતિને ચગદી નાખવામાં તથા તેને આવતી ટાળવામાં સામાજિક લેકશાહીવાદીઓએ આગળ પડતે ભાગ ભજવ્યો. એમ જણાય છે કે, મૂડીવાદ એને મોતે જ મરશે એવી સામાજિક લેકશાહીવાદીઓની આશા અથવા માન્યતા હતી. આથી તેના ઉપર સખત પ્રહાર કરવાને બદલે થોડા વખત માટે તેને ટકાવી રાખવામાં તેમણે સહાય કરી. અથવા એમ પણ હોય છે, તેમના પક્ષનું પ્રચંડ અને અતિશય સમૃદ્ધ તંત્ર સારી પેઠે સુખવાસી બની ગયું હતું તથા વર્તમાન સમાજવ્યવસ્થામાં તે એટલું બધું ફસાઈ ગયું હતું કે સામાજિક ઊથલપાથલનું જોખમ તે ખેડી શકે એમ નહોતું. તેમણે મધ્યમ માર્ગ ગ્રહણ કરવાનો પ્રયાસ કર્યો. પરંતુ એમ કરવા જતાં તેમણે બાજી સાવ બગાડી મૂકી અને જે કંઈક પ્રાપ્ત કર્યું હતું તે પણ ખાયું. જર્મનીમાં બનેલા તાજેતરના બનાવોએ સ્પષ્ટપણે એ વસ્તુ પુરવાર કરી બતાવી છે.
મહાયુદ્ધ પછીનાં આ વરસે દરમ્યાન પ્રબળ બનતી ગયેલી બીજી એક વસ્તુ બળજબરી અથવા હિંસક ભાવનાને ઉત્તરોત્તર થયેલ વિકાસ છે. એ એક અજબ જેવી વાત છે કે હિંદમાં જ્યારે અહિંસાના સિદ્ધાંતને પ્રચાર થઈ રહ્યો હતે ત્યારે બાકીની લગભગ આખી દુનિયામાં નગ્ન અને હડહડતી હિંસા અમલમાં મુકાઈ રહી હતી તેમ જ તેનાં ગુણગાન પણ કરવામાં આવતાં હતાં. મુખ્યત્વે કરીને એ વસ્તુ મહાયુદ્ધને આભારી હતી અને એ પછી જુદા જુદા વર્ગોનાં ભિન્ન ભિન્ન હિતેની થવા પામેલી અથડામણ એને માટે જવાબદાર હતી. વર્ગીય હિતેની આ અથડામણે વધુ ને વધુ સ્પષ્ટ તથા ઉગ્ર બનતી ગઈ તેમ તેમ હિંસા વધતી ગઈ. ઉદારમતવાદ (લિબરેલિઝમ) લગભગ નષ્ટ થઈ ગયો અને ૧૯મી સદીના લેકશાસનના સિદ્ધાંતના ભાવ ઘટી ગયા. રંગભૂમિ ઉપર સરમુખત્યારે એ દેખા દીધી.
આ પત્રમાં મેં પરાજિત રાજ્ય વિષે વાત કરી છે. વિજેતા રાજ્યને પણ એવા જ પ્રકારની મુસીબતનો સામનો કરવો પડયો હતો, જે કે મધ્ય યુરોપનાં જેવાં રમખાણે તથા બંડમાંથી ઈંગ્લંડ તથા ફાંસ બચી ગયાં. ઈટાલીમાં ભારે ઊથલપાથલ થઈ અને તેનાં અણુક૯યાં પરિણમે આવ્યાં પરંતુ એ વિષે અલગ ખ્યાન કરવું ઘટે.