Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૧૦૮
જગતના ઇતિહાસનું રેખાદર્શન હિંદમાં બ્રિટિશ વેપારને ઉત્તેજન આપવાને અર્થે તેણે “ઈમ્પીરિયલ પ્રેફરન્સ 'ને (સામ્રાજ્યના માલની પસંદગીની) નીતિ દાખલ કરી. આ “ઈમ્પીરિયલ પ્રેફરન્સ'ની નીતિનું તાત્પર્ય એ છે કે, જકાતને અર્થે પરદેશથી આવતા માલ ઉપર કર નાખ; બ્રિટિશ માલને બીજા દેશોના માલની હરીફાઈમાં લાભ થાય એટલા ખાતર તેના ઉપર ઓછો કર નાખ યા બિલકુલ ન નાખો.
હિંદના મૂડીદાર વર્ગના તથા ઉપલા થરના મધ્યમ વર્ગના મહાયુદ્ધ દરમ્યાન વધવા પામેલા બળની અસર હિંદની રાજકીય હિલચાલ ઉપર પણ જણાવા લાગી. યુદ્ધ પહેલાંની તેમ જ યુદ્ધના આરંભકાળની મંદીમાંથી રાજકારણ બહાર નીકળ્યું અને સ્વરાજ્ય માટેની જાત જાતની માગણીઓ તથા એવી બીજી માગણીઓ પણ થવા લાગી. પોતાની સજાની લાંબી મુદત પૂરી કરીને લોકમાન્ય ટિળક જેલમાંથી બહાર આવ્યા. હું તને આગળ જણાવી ગયો છું તેમ રાષ્ટ્રીય મહાસભા તે વખતે વિનીતેના હાથમાં હતી. પ્રભાવ વિનાની તે એક નાનકડી સંસ્થા હતી અને જનતા સાથે તેને ઝાઝે સંપર્ક નહે. વધારે પ્રગતિશીલ રાજદ્વારી પુરુષે મહાસભામાં નહતા એટલે તેમણે “હેમ રૂલ લીગ'ની સ્થાપના કરી. આવી બે હેમ રૂલ લીગે સ્થાપવામાં આવી હતી; એક લેકમાન્ય ટિળકે અને બીજી એની બિસેન્ટ સ્થાપી હતી. થોડાં વરસ શ્રીમતી બિસેન્ટ હિંદના રાજકારણમાં મહત્વનો ભાગ ભજવ્યું. અને પિતાની ભારે વક્તત્વશક્તિ તથા પિતાને દાવ રજૂ કરવાના સામર્થ્યથી રાજકારણમાં પ્રજાને રસ ફરીથી જાગ્રત કરવામાં તેમણે માટે ફાળો આપ્યો. સરકારને તેમનું પ્રચારકાર્ય એટલું બધું જોખમકારક લાગ્યું કે તેમના બે સાથીઓ સહિત તેમને કેટલાક મહિના સુધી તેણે નજરકેદ રાખ્યાં. રાષ્ટ્રીય મહાસભાના કલકત્તાના અધિવેશનનાં તે પ્રમુખ થયાં. તે મહાસભાનાં પ્રથમ સ્ત્રી-પ્રમુખ હતાં. કેટલાંક વરસો પછી શ્રીમતી સરોજિની નાયડુ મહાસભાનાં બીજાં સ્ત્રી-પ્રમુખ થયાં.
૧૯૧૬ની સાલમાં મહાસભાના વિનીત અને ઉદ્દામ એ બે પક્ષે વચ્ચે સમાધાન થયું અને ૧૯૧૬ના ડિસેમ્બર માસમાં લખનૌમાં ભરાયેલા તેના
અધિવેશનમાં તે બંને પક્ષોએ હાજરી આપી. પરંતુ એ સમાધાન થે જ વખત કર્યું કેમ કે બે વરસ કરતાં ઓછા સમયમાં ફરી પાછા ભાગલા પડ્યા અને વિનીત (મોડરેટ) – હવે તેઓ પિતાને “લિબરલ” કહેવડાવતા હતા – મહાસભામાંથી નીકળી ગયા. અને ત્યારથી તેઓ મહાસભાથી અળગા જ રહ્યા છે.
૧૯૧૬ના લખનૌના અધિવેશનથી રાષ્ટ્રીય મહાસભાને જાગ્રતિકાળ ફરીથી શરૂ થાય છે. એ પછી, આગળ ઉપર એનું બળ તથા એનું મહત્ત્વ ઉત્તરોત્તર વધતાં જ ગયાં અને એની કારકિર્દીમાં પહેલી જ વાર તે ભૂવાઓની અથવા તે મધ્યમ વર્ગના લેકની સાચી રાષ્ટ્રીય સંસ્થા બનવા લાગી. આમજનતા સાથે એને ઝાઝી લેવાદેવા નહોતી અને ગાંધીજી આવ્યા ત્યાં સુધી જનતાને