Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૧૦૪૪
જગતના ઇતિહાસનું રેખાદર્શન પરંતુ ખાવ એ કઈ સેનાપતિ નહિ પણ એક મહત્વનું શહેર છે અને યુક્રેનનું પાટનગર છેપરંતુ પ્રાથમિક ભૂગોળનું આવું ઘર અજ્ઞાન હોવા છતાં આ રાજદ્વારી પુરુષો યુરેપના ટુકડા કરીને તેને ન નકશે રચતાં અટકયા નહિ. * મિત્રરાએ રશિયાની નાકાબંધી પણ કરી. આ નાકાબંધી એટલી તે સખત હતી કે ૧૯૧૯ના આખા વરસ દરમ્યાન રશિયા પરદેશમાં કશું ખરીદી કે વેચી શકયું નહિ. •
આવી ભારે મુશ્કેલીઓ તથા અનેક બળવાન દુશ્મનો તેને સામને કરવો પડ્યો છતાંયે સેવિયેટ રશિયા ટકી રહ્યું તેમ જ વિજયી થયું. ઈતિહાસની આ એક આશ્ચર્યકારક ઘટના છે. સોવિયેટ રશિયા એ કેવી રીતે કરી શક્યું? મિત્રરા જે એકમત હોત તથા બશેવિકાને કચરી નાખવાનો તેમણે નિર્ધાર કર્યો હોત તે આરંભના દિવસોમાં તેઓ એમ કરી શકત એ નિર્વિવાદ છે. જર્મની સાથેનું કાર્ય પતાવી દીધા પછી કઈ પણ રમત રમવા માટે તેમની પાસે પ્રચંડ સૈન્ય પડયું હતું. પરંતુ એ સૈન્યનો બીજે કોઈ સ્થળે અને ખાસ કરીને સોવિયેટ રશિયા સામે ઉપયોગ કરે એ સહેલ વાત નહતી. બધા સૈનિકે યુદ્ધથી હવે થાકી ગયા હતા અને વિદેશમાં યુદ્ધ કરવાની કોઈ પણ માગણી તેમણે નકારી કાઢી હેત. વળી મજૂર વર્ગમાં નવા રશિયા માટે ભારે સહાનુભૂતિ હતી. આથી, સોવિયેટ સામે જે યુદ્ધ જાહેર કરવામાં આવે તે પિતાપિતાના દેશમાં તેમને ભારે મુશ્કેલીનો સામનો કરે પડે એ બધી મિત્ર સરકારને ડર હતે. વાત એમ હતી કે, યુરોપમાં જ બળવે ફાટી નીકળવાની તૈયારી જણાતી હતી. અને ત્રીજું, મિત્ર રાજ્ય વચ્ચે આપસમાં એકબીજા સામે હરીફાઈ ચાલતી હતી. સુલેહ થયા પછી તેઓ એકબીજા સાથે લડવાઝઘડવા લાગ્યાં. આ બધાં કારણોને લીધે તેઓ બે શેવિકોને નિર્મળ કરવાને નિશ્ચયપૂર્વક પ્રયત્ન ન કરી શક્યાં. બીજાઓને નાણાં અને હથિયાર પૂરાં પાડીને તથા નિષ્ણાત તરીકેની સલાહ આપીને પિતાનું લડવાનું કામ તેમણે તેમની પાસે કરાવ્યું અને આમ પરોક્ષ રીતે બની શકે એટલા પ્રમાણમાં એ હેતુ પાર પાડવાને તેમણે પ્રયત્ન કર્યો. તેમને ખાતરી હતી કે સેવિયેટ લાંબે કાળ નહિ ટકી શકે.
બેશક, આ બધી વસ્તુઓ સોવિયેટને મદદરૂપ નીવડી અને એથી પિતાને મજબૂત બનાવવાને તેમને વખત મળે. પરંતુ તેમની ફતેહ બહારના સંજોગને આભારી હતી એમ માનવું એ તેમને અન્યાય કરવા બરાબર છે. તરતઃ એ રશિયન પ્રજાના આત્મવિશ્વાસ, શ્રદ્ધા, આત્મભોગ તેમ જ તેના અડગ નિશ્ચયને વિજય હતા. અને તાજુબીની વાત તો એ છે કે, એ લોકોને સૌ કોઈ પ્રમાદી, અજ્ઞાન, અને નૈતિક બળ વિનાના તથા કોઈ પણ મહાન પુરુષાર્થ કરવાને