________________
૨૯
આપતું અત્યંત મનોહર પરમાત્માનું સ્વરૂપ ! માનસિક સર્વ પીડાઓને શમાવવા માટેનું પરમ ઔષધ ! સર્વ સંપત્તિઓનું અવંધ્ય બીજ ! ચકાદિ એક હજાર ને આઠ લક્ષણથી લક્ષિત ! આ રૂપ ખરેખર! સતિશય પુણ્ય તીર્થકર નામકર્મથી આકર્ષાયેલા શાંત પવિત્ર પરમાણુ એથી નિર્મિત છે! સાચે જ આ રૂપ મૃત્યુલેકના ભવ્યા ત્માઓને પરમપદપ્રાપ્તિ કરાવવાનું અમોઘ સાધન છે! અસાધારણ પ્રભાવવંતુ છે! દે, વિદ્યાસિદ્ધ અને મંત્રસિદ્ધ પુરૂષ તેમ જ યોગીજનેથી વંઘ છે! વરેણ્ય છે !
પૂજ્ય છે!
આવી રીતે સમવસરણમાં બિરાજમાન શ્રી જિનેશ્વર દેના રૂપનું ધ્યાન કરવું તેને રૂપસ્થ યાન કહેવાય છે.
ભગવાન કેવા છે ? હે...ભગવાન આપ પરમ પૂજ્ય છો. હે ભગવાન આપ પરમ સેવ્ય છે. હે.. ભગવાન આ૫ પરમ ઉપાય છે. હે...ભગવાન આપ પરમ આરાધ્ય છે. હે...ભગવાન આપ પરમ દયેયરૂપ છો. છેભગવાને આપ પરમ પિતા છે. હે ભગવાન આપ પરમ ઈષ્ટ છે. હે.ભગવાન આપ પરમ શબ્દ છે. હે... ભગવાન આપ પરમ જ્ઞાની છે. હે ભગવાન આ૫ પરમ સુખી છો. હે...ભગવાન આ૫ ૫રમ નીરોગો છો. ..ભગવાન આપ તો ગુણગણુના ભંડાર છો. હે ભગવાન આપ પરમ ધીર છો. હે..ભગવાન આપ પરમ શાંત છે.